________________
પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને છેવટે દેશની મહેનત મજૂરી અને ભક્તિ ઉપર જીવતા પચાસ લાખ જેટલા બાવા ફકીરે, અને સંતોને પણ જરા કહી દઈએ મહાસભા લાખો ગમે સ્વયંસેવકો માગે છે. સ્વયંસેવક વધારે સહનશીલ, ત્યાગી અને બીનવ્યસની તેમ જ કુટુંબકબીલાની ફિકર વીનાનો હોવો જોઈએ. આ ગુણો એ ત્યાગી વર્ગમાં વધારે હોવાની ઉમેદ રહે રહે છે. જનતા એટલે તેમનો ભક્તગણુ દુઃખી છે અને દરિદ્ર છે. તે ગુરુઓ પાસે આ ભીડના વખતમાં મદદ માગે છે. અત્યારે એ ગુરુવર્ગ જે સ્વયંસેવકની શાંત અને સુખી ગાદીઓ છેડી દે તે જ તેમની ગાદીઓની સલામતી છે. તેમનું તપ અને તેમને ત્યાગ હવે તેમના મઠોમાં કચરાઈ ગયો છે, નાશ પામે છે, હવે તો એ તપ, એ ત્યાગ જેલમાં જ અને મહાસભાના નિયંત્રિત રાજ્યમાં જ જીવી શકે તેમ છે. એ વાત આ વિશાળકાય યુગધર્મમાંથી તેમણે શીખી લેવી ઘટે. પોતાના ધર્મનું વામનરૂપ બદલી, તેમણે વ્યાપક રૂપ કરવું જ જોઈએ; નહિ તો એ વામનપણું પણ મરણને શરણ છે. તા. ૨૪-૮-૩૦
સુખલાલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org