________________
સાધુસંસ્થા અને તીર્થસંસ્થા
૭૩
આજની છેક નિસ્તેજ સ્થિતિમાં પણ એક પણ જેનસાધુ નૈતિક જીવનની પવિત્રતાને સર્વશ્રેષ્ઠ ન માનતા હોય. આપણું દેશના ઇતિહાસમાં એવા સેંકડો દાખલાઓ છે કે જેમાં બ્રાહ્મણે એ અને બીજાઓએ પિતાના પવિત્ર સંસ્કારે સાચવવા ખાતર બધી જ માલમિલ્કત અને ધર્મસ્થાન અને ખજાનાઓ પણ દુશ્મનોને સેપ્યા છે. એમણે દીર્ધ દૃષ્ટિથી જોયું કે જે શુદ્ધ સંસ્કારે કાયમ હશે તો બહારની વિભૂતિઓ કાલે આવીને ઉભી રહેશે, અને એ નહિ હોય તો પણ પવિત્ર જીવનની વિભૂતિથી કૃતાર્થ થઈશું. કાલિકાચાર્ય કઈ સ્કૂલ માલમિલ્કત માટે નહેતા લડયા પણ એમની લડાઈ જીવનની પવિત્રતા માટે હતી. આજે જૈન સાધુઓને ભારેમાં ભારે કીંમતી સપ્ત વ્યસનના ત્યાગને વાર જોખમમાં છે, એટલું જ નહિ પણ નાશના મુખમાં છે અને ખાસ કરીને રાજતંત્રને લીધે જ એ વારસો જોખમાયેલો છે, એવી સ્થિતિમાં કોઈ પણ જેન, ખાસ કરી સાધુગણ આ રાજ્યને ધાર્મિક સલામતીવાળું રાજ્ય કેમ જ માની શકે?
જે અત્યારના ધીમાન સાધુઓને એમ લાગે કે, ધાર્મિક સ્વતંત્રતાના મહિક બંધારણ નીચે ચાલતી એક દિવસના એક લાખ પશુઓની કતલ, અને ઘેરઘેર સરળતાથી પહોંચી શકે એવી દારૂની પરબ, અને એની સાથે સાથે વધેલા વેશ્યાવાડાઓની દ્વારા સુંદર જૈન ધર્મના વારસાને ચોમેર નાશ થઈ રહ્યો છે, તો પછી આજની સાધુસંસ્થાને છે ઉપયોગ કરવો એ પ્રશ્નનો નિકાલ તેઓ કરી શકશે. જેન સાધુઓને સસ વ્યસનને ત્યાગ કરાવવા જેટલું બીજું પ્રિય કામ નથી હોતું. એમની સામે આવનાર નાનકડા શા વર્ગમાં આ પરત્વે કરવાપણું કશું જ નથી, એટલે તેમનું કર્તવ્ય ક્ષેત્ર કાંત પીઠા પાસે અને કાંતે પીનારાઓના લત્તાઓમાં ઉભું થાય છે. આજે દારૂ નિષેધની પ્રવૃત્તિમાં જે લકે કામ કરે છે તે બધા કરતાં એ બાબતમાં સિદ્ધહસ્ત થયેલા જૈન સાધુઓ વધારે સારી રીતે કરી શકે એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org