________________
સાધુસંસ્થા અને તીર્થસંસ્થા
૭૧ જનાર કુળધમી જેને જ હોય છે, જેમને જન્મથી જ માંસ, દારૂ તરફ તિરસ્કાર હોય છે. જે લેકે માંસ ખાય છે અને દારૂ છોડી શક્તા નથી, તેવાઓ તે સાધુ પાસે આવતા નથી. દેશમાં પશુરક્ષાની આર્થિક દૃષ્ટિએ પણ માંસનો ત્યાગ કરાવવાની, અને કતલ થયેલ ઢોરનાં ચામડાં કે હાડકાંની ચીજોના વાપરના ત્યાગ કરાવવાની ભારે જરુર ઉભી થઈ છે. આર્થિક અને નૈતિક બને દૃષ્ટિએ દારૂના ત્યાગની જરૂર તો માંસના ત્યાગની પહેલાં પણ આવીને ઉભી થઈ છે. દેશની મહાસભા જેવી સંસ્થાઓ જેમ બીજા સંપ્રદાયના તેમ જેન સંપ્રદાયના ધર્મગુરુઓને પણ આવું ન કરે છે અને કહે છે કે “તમે તમારુ કામ સંભાળે. દારૂત્યાગ કરાવવા જેવી બાબતમાં તો અમારે વિચાર કરવાપણું હોય જ નહિ, એ તો તમારો જીવન વ્યવસાય હતો અને તમારા પૂર્વજોએ એ વિષે ઘણું કર્યું હતું. તમે સંખ્યામાં ઘણું છો. વખત, લાગવગ, અને ભાવના ઉપરાંત તમારું ત્યાગી જીવન એ કામ માટે પુરતાં સાધન છે. એટલે તમે બીજાં વધારે નહિ તો ફક્ત દારૂ નિષેધનું કામ તે સંભાળી લે. આ મહાસભાની (આજ્ઞા કહે કે, આમંત્રણ કહો) ઘોષણું છે. આ ઘોષણનો ઉત્તર જૈન સાધુસંસ્થા શે આપે છે એના ઉપર જ એના તેજને અને એના જીવનને આધાર છે.
ઘણું જેન ભાઈ બહેને અને ઘણીવાર સાધુઓ એમ કહે છે કે “ આજનું રાજ્ય જૈન ધર્મની સલામતી માટે રામરાજ્ય છે. બીજા પરદેશી આવનારાઓએ અને મુસલમાનોએ જેન ધર્મને આઘાત પહોંચાડ્યો છે. પણ આ અંગ્રેજી રાજ્યથી તો જૈન ધર્મને આઘાત પહોંચ્યો નથી, ઉલટું તેને રક્ષણ મળ્યું છે.” લેકેની આ માન્યતા કેટલી ખરી છે એ જરા જોઈએ. જેન સાધુઓની ખરી મિલ્કત, ખરી સંપત્તિ, અને ખર વારસે તો એમના પૂર્વજોએ ભારે જહેમતથી તૈયાર કરેલું દારૂત્યાગનું વાતાવરણ એ જ હતા; અને એ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org