SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુસંસ્થા અને તી સંસ્થા ૬ સાધુપણું સમજાયું. બીજાએ પણ તેમ સમજવા લાગ્યા અને સાધુએ પશુ લેાકાને એમ જ જાણેઅજાણે સમજાવતા ગયા. પરંતુ એ ઉપરથી કાઈ એમ ન ધારે કે સાધુસંસ્થા આખી જ સગવડભાગી અને તદ્દન જડ બની ગઇ હતી. એ સંસ્થામાં એવા અસાધારણ પુરુષા પણ પાક્યા છે કે જેમની અંતર્દષ્ટિ અને સૂક્ષ્મ વિચારણા કાયમ હતી. કેટલાક એવા પણ થઈ ગયા છે કે જેમની અહિષ્ટિ તા હતી છતાં આંતર્દષ્ટિ પણ ચૂકાઈ ન હતી. કેટલાક એવા પણ થઈ ગયા છે કે જેમનામાં અંતર્દષ્ટિ નહિવત્ અથવા તદ્દન ગૌણ થઇ હતી અને બહિષ્ટિ જ મુખ્ય થઈ ગઈ હતી. ગમે તેમ હા છત એક બાજુ સમાજ અને કુળધમ તરીકે જૈનપણાના વિસ્તાર થત ગયા અને એ સમાજમાંથી જ સાધુએ થઈ સંસ્થામાં દાખલ થતા ગયા. અને બીજી બાજુ સાધુઓનું વસતિસ્થાન પણ ધીરે ધીરે બદલાતું ચાલ્યું. જંગલા, ટેકરીઓ, શહેરની બહારના ભાગામાંથી સાધુગણુ લેાકવસતિમાં આવતા ગયેા. સાધુસસ્થાએ જનસમુદાયમાં સ્થાન લઇ અનિચ્છાએ લેકસસજનિત કેટલાક દાષા સ્વીકાર્યાં હોય, તેા તેની સાથે જ સાથે તે સંસ્થાએ લેાકામાં કેટલાક પેાતાના ખાસ ગુણા પણ દાખલ કર્યાં છે, અને તેમ કરવાના ભગીરથ પ્રયત્ન કર્યાં છે. જે કેટલાક ત્યાગીએ માત્ર અંતર્દષ્ટિવાળા હતા અને જેમણે પોતાના જીવનમાં આધ્યાત્મિક શાંતિ સાધી હતી એવાના શુભ અને શુદ્ધ નૃત્યની નોંધ તા એમની સાથે જ ગઈ, કારણ કે એમને પેાતાના જીવનની યાદી ખોજાઆને સોંપવાની કશી પડી જ ન હતી. પણ જેએએ અંતર્દષ્ટિ હાવા છતાં કે ન હેાવા છતાં, અગર ઓછીવત્તી હાવા છતાં લાકકામાં પેાતાના પ્રયત્નના ફાળા આપેલા હતા તેની તેાંધ તા આપણી સામે વજ્રલિપિમાં લખાયલી છે. એકવારના ધરાધર, માંસભાજી અને મદ્યપાઇ જનસમાજમાં, જે માંસ અને મઘ તરફની રુચિ અથવા તેના સેવનમાં અધર્મ બુદ્ધિ ઉત્પન્ન થઈ છે, તેનું શ્રેય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004696
Book TitleParyushan Parvana Vyakhyano
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherSukhlalji Sanghavi
Publication Year1931
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Paryushan
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy