SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને જતાં, અથવા તેા અકાળે ગુરુપદ લેવામાં આવતાં એ સગવડે અને એ નિવૃત્તિનાં સાધના તા જેમને તેમ સાધુસંસ્થા માટે ઉભાં રહ્યાં, ઉલટું ઘણીવાર તેા એ સગવડા અને એ નિવૃત્તિનાં વિધાને માં વધારા પણ ચયે, અને બીજી બાજુથી મૂળ લક્ષ જે જીવનની સાધના તે કાંતેા તદ્દન બાજુએ જ રહી ગયું અથવા કાંતા તદ્દન ગાણુ થઈ ગયું. એ જ સબબ છે કે આપણે જૈન જેવા ત્યાગપ્રધાન આ સાધુસંધના ઇતિહાસમાં ગૃહસ્થા કે રાજાઓને શાલે તેવાં સાધને, સગવડે અને લપકાએ સાધુની આસપાસ વીંટળાયલા જોઇએ છીએ. મૂળમાં તા રાજાઓને ખજાનેા એટલા માટે સોંપાયલા કે તેઓ પેાતાના ક્ષત્રિયાચિત પરાક્રમથી બીજા બધા કરતાં તેને વધારે સારી રીતે સાચવે. લશ્કર એટલા માટે સોંપયલું કે તેઓ તેને પોતાના તેજથી કાબુમાં રાખ, અને જરુર પડે ત્યારે એ ખજાના અને લશ્કરના ઉપયાગ માત્ર પ્રજાકલ્યાણમાં કરે. જો રાજા શાંતિના વખતમાં વધારે સુરક્ષિત રહે અને બળસંપન્ન રહે, તે આફત વખતે વધારે કામ આપે એટલા માટે ટાઢ તડકાથી બચાવવા છચામરની યાજના થયેલી. પણ જ્યારે વારસામાં વગર મહેનતે રાજ્ય મળવા લાગ્યાં, કાઈ પુછનાર ન રહ્યું, યારે એ રાજાએ લશ્કર, ખજાના, ત્રયામર વગેરેને પાતાનું જ જ્ઞાનવા લાગ્યા, અને પેાતાના અંગત સાધન તરીકે એના ઉપયેાગ રેવા મંડયા. એટલું જ નહિ પણ પેાતાની આડે કાઈ આવે, તે એ સાધનના ઉપયાગ તેએ પ્રજા સામે પણ કરવા લાગ્યા, અને પેાતાનું પ્રજાપાલનનું ધ્યેય બાજુએ રહી ગયું, અને તેના પાલન માટે સોંપવામાં આવેલ સગવાના ભાગમાં જ પડી ગયા. જે વસ્તુ રાજા માટે સાચી છે-મનુષ્યસ્વભાવના ઇતિહાસ પ્રમાણે એ જ વસ્તુ સાધુસંસ્થા માટે પણ સાચી જ છે. જીવનની સાધનાનું ધ્યેય સરી પડતાં તે માટે ચેાજાયેલી સગવડા અને ધડેલાં વિધાના જ તેમના હાથમાં રહ્યા, અને એ સગવડાના ભાગમાં અને એ વિધાનના આચરણમાં જ તેમને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004696
Book TitleParyushan Parvana Vyakhyano
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherSukhlalji Sanghavi
Publication Year1931
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Paryushan
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy