SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને સુક્ષ્મ છે, અને તે વ્યયે પહોંચતાં વચ્ચે મોટી મુસીબતો ઉભી થા છે, એ માર્ગમાં અંદરના અને બહારના બન્ને દુશ્મને હુમલો કે છે, એનો પૂર્ણ વિજય એકલા વ્રતનિયમથી, એકલા ચારિત્રથી, એકલા જ્ઞાનથી શક્ય નથી.” આ તત્ત્વ ભગવાને પોતાના જીવન અનુભવ્યા બાદ જ એમણે તપ અને પરિષહોની એવી ગોઠવણી ક કે તેમાં વતનિયમ, ચારિત્ર અને જ્ઞાન એ ત્રણેને સમાવેશ થ જાય. એ સમાવેશ એમણે પોતાના જીવનમાં શક્ય કરી બતાવ્યો. મૂળમાં તો તપ અને પરિષહ એ ત્યાગી તેમજ ભિક્ષુ જીવનમાં જ ઉત્પન્ન થયેલા છે, જે કે એને પ્રચાર અને પ્રભાવ છે એક અદના ગૃહસ્થ સુધી પણ પહોંચે છે. આર્યાવર્તના ત્યારે -જીવનને ઉદ્દેશ આધ્યાત્મિક શાંતિ જ હતો. આધ્યાત્મિક શાંતિ એટ લેશોની અને વિકારની શાંતિ. આર્ય ઋષિઓને મન લેશેને વિજ એ જ મહાન વિજય હતો તેથી જ તો મહર્ષિ પતંજલિ તપનું પ્રયોજા બતાવતાં કહે છે કે “તપ કલેશને નબળા પાડવા અને સમાધિ સંસ્કારે પુષ્ટ કરવા માટે છે. આ તપને પતજલિ ક્રિયાયોગ કહે છે કારણકે એ તપમાં વ્રતનિયમને જ ગણે છે; તેથી પતંજલિ ક્રિયાગથી જુદો જ્ઞાનયોગ સ્વીકારવો પડયો છે. પરંતુ જેન તપમાં તે ક્રિયાગ અને જ્ઞાનગ બને આવી જાય છે. અને એ પર સ્મરણમાં રાખવું જોઈએ કે બાહ્ય તપ જે ક્રિયાયોગ જ છે તે અત્યંત તપ એટલે જ્ઞાનયોગની પુષ્ટિ માટે જ છે; અને એ જ્ઞાનયોગની પુષ્ટિ દ્વારા જ જીવનના અંતિમ સાધ્યમાં ઉપયોગી છે, સ્વતંત્રપણે નહિ આ તો તપ અને પરિષહોના મૂળ ઉદ્દેશની વાત થઈ પણ આપ જોવું જોઈએ કે આટઆટલા તપ તપનાર અને પરિષહ સહના સમાજમાં હોવા છતાં આજ સુધીમાં સમાજે ક્લેશ કંકાસ અને ઝઘડ વિખવાદની શાંતિ કેટલી સાધી છે? તમે સમાજનો છેલ્લાં ફક પચીશ જ વર્ષને ઇતિહાસ લેશો તે તમને જણાશે કે એક બાળ તપ કરવાની વિવિધ સગવડે સમાજમાં ઉભી થાય છે અને વધતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004696
Book TitleParyushan Parvana Vyakhyano
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherSukhlalji Sanghavi
Publication Year1931
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Paryushan
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy