SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ 30 પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને મોટું દાન આપે તો પણ તે અમુક વખતે જ અને અમુક કામ પુરતું જ આપી શકે. બધા ક્ષેત્રમાં એની વહેંચણી થઈ ન શકે. જ્યારે એ માણસ સ્વદેશી ખરીદ અને પરદેશીના ત્યાગ મારફત બધાં જ ક્ષેત્રોમાં અને હમેશને માટે દેશને મદદ કરી શકે. પરદેશીના ત્યાગમાં અને સ્વદેશીના સ્વીકારમાં જેમ શોખ ઉપર અંકુશ મૂકાય છે તેમ નકામા ખર્ચ ઉપર પણ અંકુશ મૂકાય છે. શરૂઆતમાં અમુક ચીજો વિના ચલાવવું પડશે, રફ ચીજો પણ લેવી પડશે, કીંમત પણ વધારે બેસશે; ઘણીવાર ચીજ મેળવવામાં મુશ્કેલી પણ પડશે; પરંતુ આ બધું છતાં દેશવાસી કરોડો ભાઈઓના પેટમાં હંમેશાં અન્ન પહોંચાડવા ખાતર આપણે સ્વદેશી ખરી જ છુટકે છે, અને પરદેશી વસ્તુઓને બહિષ્કાર કરવામાં જ આપણું દેશવાસીઓની અમારિ આવી જાય છે. પરદેશી માલના વેપારમાંથી આપણા દેશના લેકે નફો મેળવે છે, અને એ નફામાંથી કેટલીક જણ સારા કામમાં સખાવત કરે છે એ વાત સાચી, પણ એવા વ્યાપારમાં દેશના એક ટકા જેટલા માણસો પણ ભાગ્યે જ કમાનાર હોય છે. એથી ઉલટું સ્વદેશી વ્યાપાર ખીલે તો ઘરોઘર ધંધો ચાલે, પ્રમાણ ઓછું છતાં બધા જ વ્યાપારીએ ઘેર બેઠાં કમાય, કરડે ગમે ધંધાર્થીઓ ધંધે લાગી જાય અને ઉદ્યોગી વર્ગ તેમજ તે ઉપર નભતા વ્યાપારી વર્ગની નસમાં તાજું લોહી ભરાઈ જાય. તેથી આજને અમારિ ધર્મ આપણને સ્વદેશી ધર્મ શીખવાડે છે. જયારે દેશની અંદર ધંધાની ખેટ ન હતી, સામાન્ય રીતે કોઈને અન્ન વસ્ત્ર મેળવવાની ફરિયાદ ન હતી, ત્યારે આપણી અમારિઓ કતલખાનાં અને કસાઈખાનામાં કામ કર્યું તે વ્યાજબી જ થયું છે. તે વખતે ગરીબ ગરબાને પ્રાસંગિક મદદ અપાતી તે પણ વ્યાજબી જ હતું. પરંતુ આજે તો આખા કારીગરવશે અને તે ઉપર નભતા બીજો મધ્યમ વર્ગ જ ગરીબ અને કંગાલથઈ ગયો છે, એને જુવાનીમાં ધોળાં આવ્યાં છે, તે વખતે આપણે અમારિની સખાવતો ગમે તેટલી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004696
Book TitleParyushan Parvana Vyakhyano
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherSukhlalji Sanghavi
Publication Year1931
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Paryushan
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy