SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ 20 પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો છવા સારસંભાળ પામતા હશે. ગુજરાત બહારના ભાગમાં જ્યાં. જ્યાં ગશાળાઓ ચાલે છે ત્યાં બધે મુખ્ય ભાગે ફક્ત ગાયની જ રક્ષા કરવામાં આવે છે. ગોશાળાઓ પણ દેશમાં પુષ્કળ છે અને તેમાં હજારો ગમે ગાયો રક્ષણ પામે છે. પાંજરાપોળની સંસ્થા હે. કે ગોશાળાની સંસ્થા છે પણ એ બધી પશુરક્ષણની પ્રવૃત્તિ, અહિંસાપ્રચારક સંઘના પુરુષાર્થને જ આભારી છે એમ કાઈ પણ વિચારકકથા વિના ભાગ્યે જ રહી શકે. આ ઉપરાંત કીડીઆરાની પ્રથા, જળચરેને આટાની ગોળીઓ ખવડાવવાની પ્રથા, શિકારે અને દેવીના ભાગે બંધ કરાવવાની પ્રથા, એ બધું અહિંસાની ભાવનાનું જ પરિણામ છે. - અત્યાર સુધી આપણે પશુ, પંખી અને બીજા જીવજંતુઓ વિષે જ વિચાર કર્યો છે. હવે આપણે મનુષ્યજાતિ તરફ પણ વળીએ. દેશમાં દાનપ્રથા એટલી ધંધબંધ ચાલતી કે તેમાં કઈ માણસ ભૂખે રહેવા ભાગ્યે જ પામતું. પ્રચંડ અને વ્યાપક લાંબા. દુષ્કાળામાં જગડુશા જેવા સખી ગૃહસ્થોએ પોતાના અન્નભંડારો અને ખજાનાઓ ખુલ્લા મૂક્યાના વિશ્વસ્ત લેખી પુરાવાઓ છે. જે દેશમાં પશુપંખી અને બીજા શુદ્ર જીવો માટે કરડે રૂપીઆ ખર્ચાતા હોય તે દેશમાં માણસજાત માટે લાગણું ઓછી હોય અગર તો તે માટે કાંઈ ન થયું હોય એમ કલ્પવું એ વિચારશક્તિની બહારની વાત છે. આપણું દેશનું આતિથ્ય જાણીતું છે, અને આતિથ્ય એ માનવજાતને લક્ષીને જ છે. દેશમાં લાખો ગમે ત્યાગી અને ફકીરે થઈ ગયા અને છે. તે એક આતિથ્ય-મનુષ્ય તરફની લેકાની વૃત્તિ–ના. પૂરાવો છે. અપંગો, અનાથી અને બીમારી માટે બને તેટલું વધારેમાં વધારે કરી ફીટવાનું બ્રાહ્મણ, બૌદ્ધ અને જૈન ત્રણેના શાસ્ત્રોમાં ફરમાન છે, જે તત્કાલીન લેકરુચિનો પડઘે છે. મનુષ્યજાતિની સેવાની દિવસે દિવસે વધતી જતી જરુરિયાતને લીધે, અને ડેરણી ધર્મની અગત્ય સર્વથી પ્રથમ ટેવાને લીધે, ઘણીવાર ઘણું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004696
Book TitleParyushan Parvana Vyakhyano
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherSukhlalji Sanghavi
Publication Year1931
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Paryushan
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy