________________
૧૨૬
પર્યુષણ પર્વનાં વ્યાખ્યાના
સુધીની એક પણ એવી ઉચ્ચ સ્થિતિ નથી કે જેને પ્રાપ્ત ન કરી શકે. અમુક મનુષ્યમાં અમુક ગુણ ખીલેલેા જોઈ ને આપણા હૃદયમાં આનંદ ઉત્પન્ન થતા હાય તા તે સૂચવે છે કે તેનામાં પ્રકટ થયેલી મહત્તા જોઈ આપણામાં અપ્રકટ રહેલી મહત્તા મ્હાર આવવા ઈચ્છે છે; માટે જ્યાં ગુણુ, જ્ઞાન, શક્તિ વગેરેમાં આપણને ઉત્કર્ષ લાગે, ત્યાં આપણા અંતરાત્મા પ્રસન્ન થવા જોઇએ. આપણી સમાન કક્ષાના જીવા પ્રત્યે આપણે મૈત્રીભાવ રાખવા જોઇએ, અને આપણાથી જ્ઞાનમાં, ગુણમાં, શક્તિમાં ઉતરતી સ્થિતિના વા પ્રત્યે આપણા હૃદયમાં કારુણ્ય અથવા દયા પ્રકટવી જોઇએ. જેએ દુરાગ્રહને લઈને સત્યના વિરોધી અન્યા હૈાય તેવા પ્રત્યે આપણે મધ્યસ્થ ભાવ રાખવા. તેમની પ્રશંસા કરવાથી અસત્યને પાષણ મળે, અને તેમની નિંદા કરવી એ આપણા ઉચ્ચ સ્વભાવને શાબે નહિ, માટે તેવી સ્થિતિના જીવેાના સંબંધમાં મધ્યસ્થભાવ રાખવા એ જ ઉચિત છે.
વળી જીવનશુદ્ધિ વાસ્તે ચાર દૃષ્ટિને સમજવાની જરુર છે. તેમનાં નામ દોષદિષ્ટ, ગુણદોષદિષ્ટ, શુદિષ્ટ અને આત્મદિષ્ટ અથવા સમષ્ટિ છે. દોષષ્ટિવાળાને તેા જ્યાં ત્યાં અવગુણુ જ જણાય છે. ગુદેષ દૃષ્ટિવાળા જીવ કાર્યના ગુણ જુએ, તેની પ્રશંસા કરે, પણ છેવટે એવા એક દોષ બતાવે કે તે મનુષ્યના ગુણુ ઢંકાઇ જાય અને સાંભળનારના હૃદય ઉપર તેના દાખની છેવટની છાપ પડે. ત્રીજી દૃષ્ટિ જે ગુર્દિષ્ટ છે, તેવી દૃષ્ટિવાળા મનુષ્ય દરેક મનુષ્યમાં, અનાવમાં કે વિચારમાં સારૂં શું છે, તે તરફ્ નજર રાખે, અને સારૂં શું છે તેની પ્રશંસા કરે. દોષ સમજે પણું તેને જતા કરે, તે સબંધમાં 'માન ધારણ કરે.
હવે ગુદૃષ્ટિ કરતાં પણ એક આગળનું પગથિયું આવે છે કે જ્યાં મનુષ્ય આત્મદૃષ્ટિવાળા અથવા સમદષ્ટિવાળા બને છે. આપણે સર્વ જીવાને ક્રમ ચાહી શકતા નથી ? તેનું કારણુ આત્મદૃષ્ટિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org