SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ દીક્ષા ૧૨૫ સુધી તે સૂત્ર પૂર્ણ રીતે ન સમજે ત્યાં સુધી ધ્યાન કરતા હતા. તે સૂત્રનું સત્ય જ્યારે સમજાય ત્યારે તેઓ પાછા ફરતા હતા, જેનોના પાંચ મહાવ્રતો, હિંદુઓના પાંચ યમ, અને બૌદ્ધોના પંચશીલના સંબંધમાં લખતાં શ્રી પતંજલિ ઋષિ લખે છે કે – અહિંસા સિદ્ધ થઈ ત્યારે કહેવાય કે જ્યારે તે અહિંસક પુરુષની હાજરીમાં સામા મનુષ્યને વેર વિરોધ જતો રહે. તેવીજ રીતે સત્યની સિદ્ધિ થઈ ત્યારે કહેવાય કે જ્યારે મનુષ્યને વચનસિદ્ધિ પ્રાપ્ત થાય. અર્થાત તે મનુષ્ય જે બોલે તે પ્રમાણે થાય. મદ્રાસની હાઈટના એક જજે ૪૦ વર્ષ સુધી સત્ય વિચારવાને, સત્ય બોલવાનો અને સત્ય આચરવાનો પ્રયત્ન કર્યો હતો, જેના પરિણામે તેનામાં અમુક કેસમાં સત્ય શું છે, તે પારખવાની આંતર શક્તિ ખીલી હતી, અને તેને ન્યાય અને પક્ષ સ્વીકારતા હતા. તેવી જ રીતે અસ્તેય વ્રતની સિદ્ધિ થતાં અનેક રનોની તેને પ્રાપ્તિ થાય. બ્રહ્મચર્યની સિદ્ધિ થતાં તેનામાં અપૂર્વ બળશક્તિ પ્રકટે. અને અપરિગ્રહ વ્રત સિદ્ધ થતાં તેનામાં પૂર્વજન્મસ્મૃતિ થાય. આટલી પ્રસ્તાવના પછી જીવનશુદ્ધિને વાસ્તુ શું આવશ્યક છે, તેનો વિચાર કરીએ. દશવૈકાલિક સૂત્ર લખે છે કે ધર્મ એ ઉત્કૃષ્ટ મંગળ છે, અને તેનાં સાધને અહિંસા સંયમ અને તપ છે. અહિંસા એટલે કોઈની હિંસા ન કરવી એ તેને નિષેધાત્મક અર્થ છે, પણ અહિંસાના નિશ્ચયાત્મક અર્થમાં વિશ્વ તરફને પ્રેમ આવી જાય છે. અહિંસા એટલે સર્વમાં રહેલા જીવનને જોવું, તેને માન આપવું, અને તે જીવન કયા રૂપમાં પ્રકટ થયું છે, તે રૂપ તરફ નજર ન કરતાં તે જીવનને હાવું એ જ વિશ્વપ્રેમ છે. આ વિશ્વપ્રેમ ખીલવવાને ચાર ભાવનાઓ સહાયક તરીકે સ્વીકારવામાં આવી છે. તે પ્રમદ, મૈત્રી, કારુણ્ય અને ઉપેક્ષા-માધ્યસ્થ છે. ગુણાનુરાગ કુલક જણાવે છે કે, જેના હૃદયમાં ગુણાનુરાગ–અમેદભાવ છે તે તીર્થંકર પદવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004696
Book TitleParyushan Parvana Vyakhyano
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherSukhlalji Sanghavi
Publication Year1931
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Paryushan
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy