SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ ધર્મનાં પદો-ધમ્મપદ एतं विसेसतो जत्वा अप्पमादम्हि पण्डिता । अप्पमादे पमोदन्ति अरियानं गोचरे रता ॥२॥ ते ज्ञायिनो साततिका निचं दळहपरक्कमा । फुसन्ति धीरा निब्बानं योगक्खेमं अनुत्तरं ॥३॥ उठानवतो सतिमतो सुचिकम्मस्स निसम्मकारिनो। संयतस्स च धम्मजीविनो अप्पमत्तस्स यसोऽभिवति ॥४॥ એ પ્રમાણે જાગૃતિનો વિશેષ લાભ સમજીને આર્યોએ + બતાવેલા માર્ગે જવા માટે તત્પર પંડિતજનો જાગૃતિ માં અમેદ પામે છે. ૨ તે જાગૃત પંડિતજનો ધ્યાનમાં તત્પર રહે છે, સત્રવૃત્તિમાં નિરંતર પરાયણ રહે છે અને તે માટે નિત્યપ્રતિ દઢપણે પરાક્રમ કર્યા કરે છે તથા તે ધીર પંડિતજને વાસનાનાં બંધનોને છેદી નાખવામાં સમર્થ એવી અનુત્તર + ચાલુ ભાષામાં “આર્ય' શબ્દનો જે ભાવ છે, તે કરતાં તેને અહીં જુદે ભાવ આ પ્રમાણે સમજવાનો છે –ધર્મને ખરા અર્થમાં આચરનારે મનુષ્ય, ક્રમે ક્રમે અધ્યાત્મની ચિત્તના વિકાસવાળી અમુક ભૂમિકાઓ ઉપર ચડતો જાય છે. બુદ્ધે કહેલા ધર્મના પ્રવાહમાં જે મનુષ્ય સાચા અર્થમાં વહેતો હોય છે, તેને બૌદ્ધ પરિભાષામાં “સેતાપન્ન” કહેવામાં આવે છે. સાત (શ્રોતસૂત્રપ્રવાહ) આપન=(પામેલો). સેતાપદ્મ એટલે પ્રવાહમાં પડેલો. આ સતાપન્ન સાધક “આર્ય ગણાય છે; અને સતાપન્ન થયા પછી જે સાધક નિર્વાણમાણે ભણી જનારી બીજી બીજી ધર્મભૂમિકાઓ તરફ જતો હોય, તેને પણ “આર્ય' કહેવામાં આવે છે. આ પુસ્તકમાં ૧૯ મા ધર્મસ્થવર્ગમાં પંદરમી ગાથામાં “આર્ય' શબ્દને ભાવ સ્પષ્ટપણે આપેલો છે. * આર્ય પરંપરાનાં દર્શનેમાં “વાસના,” “આસક્તિ', Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004695
Book TitleDharmna Pado Dhammapada
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherSastu Sahityavardhak Karyalay Mumbai
Publication Year1946
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy