SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ધમકવર્ગ ચલાવે છે, ઇંદ્રિયોને સંયમમાં રાખતો નથી, ખાન પાનની મર્યાદાને સમજતો નથી, આળસુ અને પરાક્રમ વિનાને છે તેને, નબળા ઝાડને હવા ઊખેડી નાખે છે તેમ સેતાન જરૂર ઊખેડી નાખે છે. ૭ સુંદરતાને અશુભ સમજીને–મૂળમાં આ માટે બહુમાનપરણી શબ્દ છે. આપણા દેશમાં જ્યારથી સ્વતંત્રતા પ્રાપ્ત કરવાના સંકલ્પ જાગ્યા ત્યારથી પરદેશી વસ્તુઓનો બહિષ્કાર વગેરે શરૂ થયાં. આ બહિષ્કાર વધારે કારગત ત્યારે જ નીવડે, જ્યારે આપણે સ્વદેશીને જ શુભ-સુખકર સમજીએ અને પરદેશીને અશુભ-અસુખકર એટલે કે દુ:ખકર જ સમજીએ. આ ભાવનાને દઢપણે કેળવવા માટે પરદેશી કપડાંની હોળી કરવાનો માર્ગ સૂચવાયેલો. પરદેશી કપડાંની હોળી કરવાથી આપણું મનમાં પરદેશી કપડાં વગેરે તમામ ચીજો માટે ઘણા ઊપજે. છેલ્લે છેલ્લે આ જ ભાવનાને વિશેષ દૃઢ કરવા માટે, ચાલ્યા જાઓ'ને મહાઘેષ સૂચવા અને સમગ્ર વાતાવરણ તન્મય બની ગયું. કહેવાનું તાત્પર્ય એ છે, કે જે ચીજ હેય છેદુઃખકર છે; તેમાંથી મનને હટાવવા માટે તે વિશે વિવેકપૂર્વક ઘણું કેળવવી જોઈએ; અને જે ચીજ ઉપાદેય છે–સુખકર છે, તે તરફ મનને વાળવા માટે તે વિશે વિવેકપૂર્વક પ્રેમવૃત્તિ કેળવવી જોઈએ. આમ થાય, તો જ કુસંસ્કારો છૂટી શકે અને સુસંસ્કારે લઈ શકાય. સાથે “વિવેક' હેવાથી “ઘણું”ષનું રૂપ લે અને “પ્રેમ” આસક્તિનું રૂપ લે એવો ભય રાખવાનું કારણ નથી. મનુષ્યનું શરીરસૌંદર્ય વગેરે જોઈ સાધારણ માણસને તે સુખકર લાગે છે તેથી તેના તરફ તેની આસક્તિ વધે છે; એમાંથી પરિણામે ભારે કલેશે ઊભા થાય છે અને જગત દુઃખમય બની જાય છે. આ સ્થિતિને અટકાવવા આપણું આર્ય પુરુષોએ પિતાની સાધના અને અનુભવથી જણાવ્યું છે કે, એ લાવણ્ય વગેરેનાં મૂળ વૈજ્ઞાનિક કારણ વિવેકપૂર્વક તપાસો તે જણાશે, કે જે ચીજને સાધારણ માણસ પણ કણાની દૃષ્ટિએ જુએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004695
Book TitleDharmna Pado Dhammapada
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherSastu Sahityavardhak Karyalay Mumbai
Publication Year1946
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy