SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ અર્થાત્ બ્રાહ્મણત્વનું કારણ ચારિત્ર જ છે. બીજા ટાઈ એટલે બ્રાહ્મણીની કુક્ષિથી જન્મ લેવા, સંસ્કારા, વિદ્યા, કે સ'તતિ તેમાંનુ કાઈ કારણ બ્રાહ્મણત્વનું નથી. સ` વર્ગોમાં કાઈ જાતની વિશેષતા નથી. આખું જગત બ્રહ્માએ સરજેલું છે, માટે ‘ બ્રાહ્મ’ છે. તે બ્રાહ્મ જગત જુદા જુદાં કર્મો વડે જુદી જુદી વરૂપતાને પામેલુ છે. ભારતવર્ષની પ્રસિદ્ધ પ્રસિદ્ઘ પ્રમુખપરંપરાએ આવી સ્પષ્ટ હકીકત કહે છે; છતાં આપણા લેાકાનુ બ્રાહ્મણત્વના મૂળને લગતું અજ્ઞાન હજુ સુધી ખસતું નથી એ ભારે આશ્ચર્યની વાત છે. જેમ ઉચ્ચતા કે શિષ્ટતા જન્મથી સાંપડતી નથી, તેમ નીચતા પણ અમુક તિઓમાં જન્મ લેવાને કારણે જ છે, એ પણ તદ્દન અસત્ય છે. આ હકીકત પણ ઉપરની ત્રણે પરંપરાએ સ્પષ્ટ શબ્દોમાં સ્વીકારે છે; છતાં આપણી પ્રજાનું કેવું અને કેટલું બધું ધાર અજ્ઞાન છે, કે તે પાતે પેાતાનાં શાસ્ત્રવાકયેાની પણ અવગણના કરે છે અને અસ્પૃશ્યતાના ભૂતને હજુ લગી છેાડી શકતી નથી, ધમ્મપદમાં બ્રાહ્મણુવની પહેલાં એક બિભ્રુવગ છે. તેમાં ભિક્ષુનુ –ત્યાગીનું—સ’ન્યાસીનું વાસ્તવિક સ્વરૂપ બતાવેલું છે. ભિક્ષુનું આવું જ સ્વરૂપ મહાભારતના શાંતિમાં પણ સ્થળે સ્થળે નિરૂપેલું છે અને જૈન સૂત્રેામાં તે તે પદે પદે જણાવેલું છે; એટલુ જ નહિ, પણ દશવૈકાલિક સૂત્રમાં તે ‘તે ભિક્ષુ કહેવાય' એવું છેલ્લું વાક્ય મૂકીને દશમા અધ્યયનમાં ૨૧ ગાથાઓ દ્વારા ભિક્ષુનું ખરું સ્વરૂપ બતાવેલુ છે. ત્રણ પરપરાને અનુસરતી આપણી પ્રજા એ વિશે વિશેષ લક્ષ્ય કરે, તા ભિક્ષુ વિશેનું તેનું ધાર અજ્ઞાન ટળી જાય અને વતમાન ભિક્ષુસંસ્થા પણ પ્રજાને ઉપયાગી નીવડે. ધમ્મપદમાં ખારમેા ઃ અત્તવર્ગી' છે. ‘ અત્ત' એટલે આત્મા. આ વમાં આત્માને સંયમમાં રાખવા વગેરે અનેક હકીકતે કહેલી છે. આત્મા જ આત્માના નાથ છે, બીજો કાઈ તેના નાથ નથી’ એવું કહીને આત્માના અગાધ સામર્થ્યના પણ વિચાર તેમાં કરેલ છે. પાપ-પુણ્યને કર્તા આત્મા છે અને તેનાં ફળે! ભગવનાર પણ આત્મા છે, એ પ્રકારના અનેક જાતના વિચારે આ વર્ગમાં ખતાવેલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004695
Book TitleDharmna Pado Dhammapada
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherSastu Sahityavardhak Karyalay Mumbai
Publication Year1946
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy