SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મસ્થવર્ગ નદી નથી. ૧૭ બીજાનો દોષ જેવો સહેલું છે, પણ પિતાનો દોષ જેવો વસમો છે. જે માણસ બીજાના દોષોને ભૂંસાની પેઠે ઉ પણ બતાવે છે, અને જેમ લુચ્ચે જુગારી પિતાની હારને દાવ ઢાંકી દે છે–સંતાડે છે તેમ પોતાના દોષોને જે સંતાડી રાખે છે, એ રીતે બીજાના દોષોને જોનારા અને હમેશાં બીજાની જોડે કાઢવામાં જ રાચતા તે માણસના દોષો વધ્યા કરે છે અને એ માણસ દોષના ક્ષયથી દૂર રહે છે અર્થાતું. એવા માણસના દોષો નાશ પામતા નથી. ૧૮૧૯ જેમ આકાશમાં પગલું પડતું દેખાતું નથી, તેમ બહાર ના પથમાં એટલે બુદ્ધના માર્ગ સિવાયના બીજા માર્ગમાં કોઈ સાચો શ્રમણ સાંપડતો નથી. તમામ લોકો પ્રપંચમાં પડેલા છે અને બધા બુદ્ધો પ્રપંચ વગરના છે. ૨૦ જેમ આકાશમાં પગલું પડતું દેખાતું નથી, તેમ બહારના પથામાં ક્યાંય કોઈ શ્રમણ સાંપડતો નથી. વાસનાએ કાયમ–શાશ્વત રહેતી નથી અને બુદ્ધ પુરુષોને કંપ એટલે ભય હેતો નથી. ૨૧ અઢારમે મલવર્ગ સમાપ્ત. ૧૯: ધર્મસ્થવર્ગ જે માણસ કોઈ પણ હકીકતનો ફેંસલો સાહસથી એટલે વગરવિચાર્યું કરી નાખે છે, તેટલા માત્રથી તે ધર્મ-ધર્માધિકારી-ન્યાયાધીશ થઈ શકતું નથી, પરંતુ જે ડાહ્યો માણસ ખરી અને ખોટી વાતને બરાબર નિશ્ચય કરીને પછી તે વિશે ઉતાવળ કર્યા વિના બરાબર વિચાર કરીને ધર્મ પ્રમાણે સમભાવથી બીજાઓને દેરે છે, તે માણસને ધર્મ વડે સુરક્ષિત અથવા પુષ્ટ, બુદ્ધિમાન અને ધર્મસ્થ કહેવો ઘટે. ૧,૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004695
Book TitleDharmna Pado Dhammapada
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherSastu Sahityavardhak Karyalay Mumbai
Publication Year1946
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy