________________
પરાભવ કરી શક્યા નથી. હમણાં જો તે દુષ્ટ દ્વૈપાયન મારી પાસે આવે તો તેના પેટને ચીરીને તેમાંથી દ્વારકા નગરીની બધી સમૃદ્ધિને બહાર કાઢીને જ રહું.’’
આમ તીવ્ર રૌદ્ર ધ્યાનના અભ્યાસથી હજાર વર્ષનું આયુ પૂર્ણ કરીને કૃષ્ણનો આત્મા ત્રીજી નરકની વાટે ચાલી નીકળ્યો. * મહાયુદ્ધોની અંદર એકલપંડે અનેકોને હંફાવનાર કૃષ્ણ જેવા મહાયોદ્ધાને સગાભાઈના હાથે અત્યન્ત તૃષાતુર અવસ્થામાં મૃત્યુને ભેટવું પડ્યું.
* પાણી માંગે ત્યાં દૂધ હાજર થાય તેવા પુણ્યવાનને જંગલમાં મરતી વેળાએ પાણી પાનાર પણ કોઈ મળ્યું નહિં. * સોનાની દ્વારકાના સ્વામીને જંગલમા રાન-રાન ભટકવાનો વખત આવ્યો.
* હંમેશા મણિરત્નોનાં અમૂલ્ય વસ્ત્રાભરણો ધારણ કરનારને લાજ ઢાંકવા માટે એક પિતાંબર માત્ર શેષ રહ્યું.
* જેના એક આંખના ઈશારામાં હજારો સેવકો સેવામાં હાજર થતા તેને આજે ઘોર જંગલમાં એકાકી મરણને શરણ થવું પડ્યું.
* કમલની કોમલ પાંદડીઓ શી મખમલી શય્યામાં સૂનારને મૃત્યુ વખતે જંગલનું ઘાસ ભેગું કરીને બનાવેલી કર્કશ શય્યાના આશ્રયે ચિરનિદ્રામાં પોઢી જવું પડ્યું
સજ્ઝાયકારે ગાયું છે ઃ કર્મ તણી ગતિ એહવી મેરે લાલ.....!
Jain Education International
照
RE
મૈં Hi
પાપ તરત ફળતું નથી પણ ચોક્કસ
ફળનાર
તુજ આંખો નદીઓ બની વહેશે આંસુ ધાર
૧૧
For Private & Personal Use Only
www.jainelibrary.org