SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ પરાભવ કરી શક્યા નથી. હમણાં જો તે દુષ્ટ દ્વૈપાયન મારી પાસે આવે તો તેના પેટને ચીરીને તેમાંથી દ્વારકા નગરીની બધી સમૃદ્ધિને બહાર કાઢીને જ રહું.’’ આમ તીવ્ર રૌદ્ર ધ્યાનના અભ્યાસથી હજાર વર્ષનું આયુ પૂર્ણ કરીને કૃષ્ણનો આત્મા ત્રીજી નરકની વાટે ચાલી નીકળ્યો. * મહાયુદ્ધોની અંદર એકલપંડે અનેકોને હંફાવનાર કૃષ્ણ જેવા મહાયોદ્ધાને સગાભાઈના હાથે અત્યન્ત તૃષાતુર અવસ્થામાં મૃત્યુને ભેટવું પડ્યું. * પાણી માંગે ત્યાં દૂધ હાજર થાય તેવા પુણ્યવાનને જંગલમાં મરતી વેળાએ પાણી પાનાર પણ કોઈ મળ્યું નહિં. * સોનાની દ્વારકાના સ્વામીને જંગલમા રાન-રાન ભટકવાનો વખત આવ્યો. * હંમેશા મણિરત્નોનાં અમૂલ્ય વસ્ત્રાભરણો ધારણ કરનારને લાજ ઢાંકવા માટે એક પિતાંબર માત્ર શેષ રહ્યું. * જેના એક આંખના ઈશારામાં હજારો સેવકો સેવામાં હાજર થતા તેને આજે ઘોર જંગલમાં એકાકી મરણને શરણ થવું પડ્યું. * કમલની કોમલ પાંદડીઓ શી મખમલી શય્યામાં સૂનારને મૃત્યુ વખતે જંગલનું ઘાસ ભેગું કરીને બનાવેલી કર્કશ શય્યાના આશ્રયે ચિરનિદ્રામાં પોઢી જવું પડ્યું સજ્ઝાયકારે ગાયું છે ઃ કર્મ તણી ગતિ એહવી મેરે લાલ.....! Jain Education International 照 RE મૈં Hi પાપ તરત ફળતું નથી પણ ચોક્કસ ફળનાર તુજ આંખો નદીઓ બની વહેશે આંસુ ધાર ૧૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004694
Book TitleUnda Akashma
Original Sutra AuthorN/A
AuthorAtmadarshanvijay
PublisherDiwakar Prakashan
Publication Year
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy