________________
૬ શ્રી સ્વાર્થ પરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર.
અસુર કુમારના દેવતાને મુકુટને વિષે મણિનું ચિન્હ હોય છે, નાગ કુમારને સપનું ચિન્હ હોય છે, સુવર્ણ કુમારના આ રણમાં ગરૂડનું ચિન્હ, વિઘુકુમારના આભરણમાં વજના ચિન્હ, અનિ કુમારના મુકુટની અંદર કલસોના ચિન્હ, દ્વીપકુમારના દાગીનામાં સિંહના ચિન્હ, ઉદધિકુમારના દાગીનામાં ઘોડાના ચિન્હ, દિશીકુમારના દાગીનામાં હાથીના ચિન્હ, વાયુકુમારના દાગીનામાં મગરમચ્છના ચિન્હ, સ્તનતકુમારના દાગીનામાં સરાવસંપુટના ચિહે છે.
જેમ દેશની અંદર હજારે લાખો અને કરડે મનુષ્ય હોય છે તેમાંથી તેઓના દેશ જાતિ અને રીતભાત તેઓના માથાની પાઘડી વેષ અથવા પી જવાથી માલુમ પડે છે, તેમ તે દેવતાઓના ચિન્હ જેવાથી તેની નિકાય વિગેરે માલુમ પડે છે. ૫૯ - ' समजुवो दशोनाऽष्टशत्यास्तारका ॥६० ॥
શબ્દાર્થ –સંભૂતલ પૃથ્વીથી ૭૦ એજન ઉંચા તારા રહેલા છે.
વિશેષાર્થ –મેરૂ પર્વતના મધ્યભાગની અંદર જે આઠ રૂચક પ્રદેશ છે, તે સમભુતલા પૃથ્વી કહેવાય છે, તેનાથી સાતસે નેવું
જન ઉંચા તારા છે. પછી તેનાથી બીજા બધા તિષી દેવતા અનુક્રમે ઉચે ઉંચે રહેલા છે તે નીચેનાં સૂત્રથી જણાશે. ततो दशाऽशीति चतुश्चतुस्त्रित्रित्रित्रिषु अधिकेषु रविचन्छनत्रबुधशुक्रजीवमङ्गलशनैश्वराः ॥ ६१॥
શબ્દાર્થ –ત્યારપછી દશ, એંશી, ચાર, ચાર, ત્રણ, ત્રણ, ત્રણ, અને ત્રણ જન વધારે અનુક્રમે સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, બુધ, શુક, ગુરૂ, મંગલ અને શનીશ્ચર ઉંચા રહેલા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org