SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ શ્રી સ્વાર્થ પરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર. રમે ચાર, અને નવ રૈવેયકે નવ અને અનુતર વિમાને એક મળી ૧૦ એવી રીતે દૂર પ્રતર ઉપરના દેવકની અંદર છે. વિશેષાર્થ-જેવી રીતે કોઈ પાંચ માળને કઈ છ માળને અને કઈ સાત માળને માળે હોય છે, તેવી રીતે વૈમાનિક દેવલોકની અંદર પણ માળાના આકારના એકની ઉપર એક એવા પ્રતર હોય છે. પહેલાં અને બીજા દેવલોક ૧૩ પ્રતર વલયાકારે છે. તે પૂર્વ મહાવિદેહ અને પશ્ચિમ મહાવિદેહની બરોબર ઉપર છે, તે ગળ વલયાકારના અડધો અડધ બરાબર ભાગ કરીએ ત્યારે દક્ષિણ દિશામાં અડધા ભાગના પ્રતરે સૈધર્મઈદ્રના છે, ઉત્તર દિશામાં ઈશાન ઈન્દ્રના જાણવા, ત્રીજા અને ચોથા દેવલોકને વિષે ૧૨ પ્રતર વલયાકારે છે તેના પણ ઉપર પ્રમાણે અર્ધોઅર્ધ ભાગ કરી દક્ષિણ દિશામાં સનકુમાર અને ઉત્તર દિશામાં મહેન્દ્ર રહે છે. પાંચમા બ્રહ્મદેવલેકને વિષે છ પ્રતર વલયાકારે છે. છ૩ લાંતક દેવલેકમાં પાંચ પ્રતર વલયાકારે છે. સાતમા શુકદેવલોકમાં ચાર પ્રતર વલયાકારે છે. આઠમા સહસ્ત્રાર દેવલેકમાં ચાર પ્રતર વલયાકારે છે. નવમા અને દશમા આનત અને પ્રાકૃત નામના દેવલોકમાં ચાર પ્રતર વલયાકારે છે. અગીઆરમા અને બારમાં આરણ તથા અશ્રુત નામના દેવલોકમાં ચાર પ્રતર વલયાકારે છે. દરેક રૈવેયકે એક એક એવી રીતે નવ ગ્રેવકે મલી નવ પ્રતર છે. અનુત્તર વિમાને એક પ્રતર વલયાકારે છે એવી રીતે બધા મળીને ૬૨ પ્રતર વૈમાનિક દેવલોકના અંદર છે. દરેક પ્રતરે કેટલી કેટલી સ્થિતિ છે, તે બતાવે છે. છેલ્લા Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.004693
Book TitleTattvartha Parishishta
Original Sutra AuthorSagaranandsuri
AuthorMansagar
PublisherDahyabhai Pitambardas
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy