SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી તત્વાર્થ પરિશિષ્ટ, બને નદીઓ પુંડરીક દહમાંથી નીકળીને એક પુર્વ તરફ થઈને અને બીજી પશ્ચિમ દિશા તરફ જઈને સમુદ્રમાં મલે છે. चतुर्दशसहस्राणि आदौ ॥१९॥ શબ્દાર્થ–પહેલા ભરત ક્ષેત્રની નજીઓનો પરિવાર ૧૪૦૦૦ ચઉદ હજાર નદીઓને છે. ' વિશેષાર્થ-બને બાજુના પહેલા ક્ષેત્રની નદીઓ ગંગા અને સિંધુ, રક્તા અને રક્તવતી એ ચાર નદીએ જ્યારે દ્રહમાંથી નીકળીને વૈતાઢયપર્વત સુધી જતા તેને સાત સાત હજાર નદીઓ નાની મલે છે અને જૈતાવ્ય પર્વત ભેદીને સમુદ્ર સુધી જતાં બીજી સાત સાત હજાર નદીઓ મલે છે એટલે દરેકને ચઉદ ચઉદ હજાર નદીઓ પરીવાર છે. अपविदेहेन्यो द्विगुणपरिवारा उन्नयतः ॥२०॥ | શબ્દાર્થ–મહાવિદેહ ક્ષેત્ર વરજીને બંને બાજુની નદીએનો પરિવાર બમણે બમણે છે. વિશેષાર્થ --ભરત ક્ષેત્રની નદીઓને પરીવાર ૧૪૦૦ ચઉદહજાર નદીઓને છે તે વીરતે અસવત ક્ષેત્રની નદીઓને પણ પરીવાર ૧૪ હજાર નદીઓને છે. તેનાથી બમણે અઠાવીસ અઠાવીસ હજાર નદીઓને પરિવાર હીમવંત ક્ષેત્ર અને અરણ્યવત ક્ષેત્રની નદીઓ રેહતાંશ, રેહતા સુવર્ણકુલા, અનેરૂધ્યકુલાને છે તેનાથી બમણા ૫૦ હજાર ૫૬ હજાર નદીએ નો પરીવાર હરીષ ક્ષેત્ર અને રમ્યક ક્ષેત્રમાંની હરીકાંન્તા, હરીસલીલા, નરકાંન્તા અને નારીકાંતા નદીઓને છે, પશ્ચિમવિદેહ અને પૂર્વ વિદેહમાં જે સીતેરા અને સીતા નદી રહેલી છે તે દરેકને પરીવાર ખાંચ લાખ બત્રીસ હજાર નદીઓને છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004693
Book TitleTattvartha Parishishta
Original Sutra AuthorSagaranandsuri
AuthorMansagar
PublisherDahyabhai Pitambardas
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy