________________
૧૦૪
શ્રી તસ્વાર્થ પરિશિષ્ટ મૂત્ર અને ભાષાન્તર.
विद्विदिद्वि चतुः षट त्रिगैवेयकवासिनोऽधः प्रथमाद्याः विषयाः ॥१०॥
શબ્દાર્થ –બે બે બે બે અને ચાર દેવલોક, છ અને ત્રણ વેકના દેવતાને વિષય રત્નપ્રભા આદિ નારકીઓની અંદર છે.
વિશેષાર્થ ––પહેલા સધર્મ અને ઈશાન દેવેલેકના સા. માનિક આદિ ઉત્કૃષ્ટ આયુષ્યવાળા અવધિ જ્ઞાનથી પહેલી નારકી રત્નપ્રભાના છેવટના તલી આ સુધી જઈ શકે છે, ઉર્વ પિતાના વિમાનની વજા સુધી અને તિછમાં અસંખ્યાતા દ્વીપ સમુદ્ર સુધી જોઈ શકે છે.
સનકુમાર અને મહેન્દ્રના ઉત્કૃષ્ટ આયુષ્યની સ્થિતિવાળા દેવતા બીજી નાકી શર્કરા પ્રમાના છેવટના ભાગ સુધી અને ઉર્વ પિતાના વિમાનની વજા સુધી તિછમાં અસંખ્યાતા દ્વીપ અને સમુદ્ર સુધી અવધિજ્ઞાનથી જોઈ શકે છે. પરંતુ પહેલા બે દેવલોકના જે અસંખ્યાતા દ્વીપ અને સમુદ્રનો વિષય છે તેની અપેક્ષાએ આ દેવેલેકના અસંખ્યતા વધારે કારણકે જેમ જેમ ઉપર જતા જઈએ તેમ તેમ અવધિ જ્ઞાન વિષય વધારે આવે છે. એવી રીતે આગળ પણ અસંખ્યાતાની અંદર સમજી લેવું.
બ્રહ્મક અને લાંતકના દેવતાઓ અવધિજ્ઞાનથી અલકમાં ત્રીજી વાલુકાપ્રભાના તલીઆ સુધી, ઉર્વ પોતાના વિમાનની વજા સુધી, અને તિચ્છી અસંખ્યાતા દ્વીપ અને સમુદ્ર સુધી જોઈ શકે છે. પરંતુ બ્રહ્મલોકના દેવતા કરતાં લાંતકના દેવતાને અવધિજ્ઞાનને વિષય વધારે સમજ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org