________________
સજ્જનસ્તુતિદ્વાત્રિંશિકા|શ્લોક-૨૩-૨૪
ભાવાર્થ:
ગ્રંથકારશ્રીના ગુરુ શ્રી નયવિજયજી મ.સા.એ ઘણો શ્રમ કરીને ગ્રંથકારશ્રીને કાશીમાં ભણાવ્યા, અને ગ્રંથકારશ્રી જ્યારે કાશીમાં ભણે છે તે વખતે જે જે દર્શનશાસ્ત્રોના અધ્યયનકાળમાં ગુરુના શ્રમનું સ્મરણ ગ્રંથકારશ્રીને થાય છે, ત્યારે ત્યારે ગ્રંથકારશ્રીનો ભણવાનો યત્ન પણ અતિશયિત થાય છે, જેથી ગ્રંથકારશ્રીને ગ્રંથનો મર્મસ્પર્શી બોધ થાય છે; કેમ કે જે ગુરુએ આટલો શ્રમ કર્યો તે શ્રમ તો જ સાર્થક થાય કે “હું દર્શનશાસ્ત્રમાં નિપુણ બનું” એ પ્રકારની ગ્રંથકારશ્રીને બુદ્ધિ થાય છે. ગુરુના શ્રમના કારણે ગ્રંથકારશ્રી દર્શનશાસ્ત્રના મર્મને પામ્યા. તેમાં દષ્ટાંત આપે છે.
30
જ્યાં જ્યાં પવન જાય છે ત્યાં ત્યાં પુષ્પની સૌરભ પ્રાપ્ત થાય છે. તેમ જે જે ગ્રંથોના અધ્યયનકાળમાં પવનસ્થાનીય ગુરુના શ્રમનું ગ્રંથકારશ્રીને સ્મરણ થાય છે, તે તે ગ્રંથોમાં પુષ્પની સૌરભ જેવી ગ્રંથકારશ્રીની બુદ્ધિ મર્મસ્પર્શી બને છે. આનાથી એ પ્રાપ્ત થાય કે પવનથી જેમ પુષ્પની સૌરભ પ્રાપ્ત થાય છે, તેમ શ્રી નયવિજયજી ગુરુના કરાયેલા શ્રમના સ્મરણથી ગ્રંથકારશ્રીને તે તે દર્શનની નિપુણ પ્રજ્ઞા પ્રાપ્ત થઈ. ||૨૩||
શ્લોક ઃ
तद्गुणैर्मुकुलितं रवेः करैः शास्त्रपद्यमिह मन्मनोहदात् । उल्लसन्नयपरागसङ्गतं सेव्यते सुजनषट्पदव्रजैः ।। २४ ।।
અન્વયાર્થ :
હ્ર=અહીં=મારામાં તઘુળે રવેઃ રે તેમના ગુણોરૂપ સૂર્યના કિરણોથી= ગુરુના ગુણોરૂપ સૂર્યના કિરણોથી મત્ત્વનોદવ=મારા મનરૂપી સરોવરમાંથી મુત્તુતિતં=બિડાયેલું એવું શાસ્ત્રપાં=શાસ્ત્રરૂપી કમળ ઉત્નસત્–ઉલ્લાસ પામતું નવપરાસાતં=નયપરાગથી સંગત સુખનષવદ્રને =સજ્જનરૂપી ભમરાઓ વડે સેતે સેવાય છે. ।।૨૪।
શ્લોકાર્થ :
અહીં=મારામાં, તેમના ગુણોરૂપ સૂર્યનાં કિરણોથી=ગુરુના ગુણોરૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org