SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ સજ્જનસ્તુતિહાવિંશિકા/બ્લોક-૧૩-૧૪ બુધ પુરુષો સર્વ ઉદ્યમથી સર્વ જીવોના ખેદના નિવારણ માટે યત્ન કરનારા હોય છે, તેથી કોઈને ખેદ થાય તેવી પ્રવૃત્તિ કરે નહિ. આમ છતાં, યોગ્ય જીવોને પોતાના નવા ગ્રંથની રચનાથી તત્ત્વની પ્રાપ્તિ થતી હોવાને કારણે અને સ્વને પણ ઉપકાર થતો હોવાના કારણે ખલના ખેદની ઉપેક્ષા કરીને પણ બુધ પુરુષો નવા ગ્રંથની રચના કરે છે. જેમ ઠંડીના રક્ષણ માટે સમર્થ એવું વસ્ત્ર ધારણ કરવાથી થતા ભારના ભયથી કોઈ વિવેકી પુરુષ તેનો ત્યાગ કરે નહિ, તેમ બુધ પુરુષો પણ ખલના ખેદના ભયથી સ્વ પરના કલ્યાણનું પરમ કારણ એવા નવ્ય ગ્રંથની રચનાનો ત્યાગ કરતા નથી. ૧૩ શ્લોક :-- आगमे सति नवः श्रमो मदान स्थितेरिति खलेन दूष्यते । नौरिवेह जलधौ प्रवेशकृत् सोऽयमित्यथ सतां सदुत्तरम् ।।१४।। અન્વયાર્થ: માનને સતિ-આગમ હોતે છત=સર્વજ્ઞતાં વચનરૂ૫ આગમ વિદ્યમાન હોતે છતે નવઃ શ્રમ =નવો શ્રમ-નવાં શાસ્ત્ર રચવાનો શ્રમ મા=મદથી થાય છે સ્થિત્તે =સ્થિતિથી નહિ શાસ્ત્રમર્યાદાથી નહિ ત એ પ્રમાણે રવજોન ફૂષ=ખલ વડે દૂષણ અપાય છે. નથી=સમુદ્રમાં નોઃ રૂવ=નાવની જેમ=સમુદ્રમાં વાવથી પ્રવેશ થાય છે એની જેમ સો કથં તે આeગ્રંથકારશ્રીએ તવા ગ્રંથની રચના કરી તે આ રૂદ=અહીં=આગમમાં પ્રવેશવૃ=પ્રવેશ કરાવનાર છે તિ એ પ્રમાણે રથ ત=સપુરુષોતો સત્તર—સઉત્તર છે ખલના દૂષણનો યથાર્થ ઉત્તર છે. ૧૪ શ્લોકાર્ય : આગમ હોતે છતે સર્વજ્ઞનાં વચનરૂપ આગમ વિદ્યમાન હોતે છતે, નવો શ્રમ-નવાં શાસ્ત્ર રચવાનો શ્રમ મદથી થાય છે, સ્થિતિથી નહિષશાસ્ત્રમર્યાદાથી નહિ, એ પ્રમાણે ખલ વડે દૂષણ અપાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004692
Book TitleSajjanastuti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy