SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ મુક્તિદ્વાત્રિંશિકા | શ્લોક-૫-૬ સાધના કરીને આત્મહિત સાધવું છે તેવા પ્રકારની ઉત્કટ ઇચ્છા ઉત્પન્ન કરે તેવો કર્મનો ક્ષયોપશમ થયો. માટે પૂર્વસેવા વગર પણ શમાદિ ભાવો થઈ શકે તેમ સ્વીકારવામાં કાંઈ અસંગત નથી. આમ છતાં, બહુલતાએ યોગની પૂર્વસેવાના સેવનથી શમાદિ ભાવો થાય છે. I[પા ૪૪ અવતરણિકા - શ્લોક-૪માં કહેલ કે, મહાપ્રલયમાં સર્વ જીવોની મુક્તિ સ્વીકારવામાં ન આવે તો પ્રવ્રજ્યા ગ્રહણ કરનારને “હું મોક્ષ માટે અયોગ્ય છું" એ પ્રકારની શંકા થઈ શકે. તેનું નિરાકરણ કરતાં શ્લોક-૫માં કહ્યું કે, તૈયાયિકનું આ કથન યુક્ત નથી; કેમ કે શમાદિના પરિણામના બળથી પોતે મોક્ષમાં જવાને યોગ્ય છે તેવો નિર્ણય થઈ શકે છે. ત્યાં તૈયાયિકે અન્યોન્યાશ્રયદોષ આપ્યો તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે, પ્રવ્રજ્યાની પ્રવૃત્તિથી પૂર્વે પૂર્વસેવાથી પણ શમાદિની પ્રાપ્તિ થઈ શકે છે. તેથી એ પ્રાપ્ત થાય છે કે, શમાદિના પરિણામવાળા પણ જીવો મોક્ષમાં જવાને યોગ્ય છે અને શમાદિની પ્રાપ્તિના કારણીભૂત પૂર્વસેવાના પરિણામવાળા પણ જીવો મોક્ષમાં જવાને યોગ્ય છે. આમ છતાં શ્લોક-૫માં કહ્યું કે શમાદિની પ્રાપ્તિથી પોતાની યોગ્યતાનો નિર્ણય થઈ શકે છે, તેથી કોઈને શંકા થાય કે શમાદિના પરિણામવાળા જીવો જ મોક્ષમાં જવાને યોગ્ય છે, અન્ય નહીં. તેના નિવારણ માટે કહે છે શ્લોક ઃ - शमाद्युपहिता हन्त योग्यतैव विभिद्यते । तदवच्छेदकत्वेन सङ्कोचस्तेन तस्य न । ६ ॥ અન્વયાર્થ : મૈંન્ત=ખરેખર, શમાધુપત્તિતા=શમાદિથી ઉપહિત, યોવતૈવયોગ્યતા જ, વિમિઘતે=જુદી પડે છે=પૂર્વસેવાકાલીન મોક્ષની યોગ્યતા કરતાં જુદી પડે છે. તેન=તે કારણથી, તત્ત્વ=તેનો=શમાદિનો, તવછેવત્વેન=તેના અવચ્છેદકપણાથી=યોગ્યતાના અવચ્છેદકપણાથી, સોચો ન=સંકોચ નથી. IÇII Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004691
Book TitleMukti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy