________________
૨૯
મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૧-૨-૩ તેના પ્રતિયોગીમાં રહેનારી “સ્વત્વજાતિ છે. એ પ્રકારના સાધ્યમાં જે દુઃખના પ્રાગભાવના અનાધારમાં વૃત્તિ એવો જે ધ્વસ છે તે કયા સંબંધથી છે એ પ્રકારના પ્રશ્નમાં નૈયાયિક મતાનુસાર દુઃખના પ્રાગભાવના અનાધારમાં વૃત્તિ એવો ધ્વંસ અભાવીયવિશેષણતાસંબંધથી ગ્રહણ કરવામાં આવે તો બાધદોષની પ્રાપ્તિ છે; કેમ કે નૈયાયિક મતાનુસાર અભાવી વિશેષણતાસંબંધથી દુઃખનો ધ્વસ દુઃખના સમવાયીકારણ એવા આત્મામાં વૃત્તિ છે, તેથી તૈયાયિક જે કહે છે કે દુ:ખના પ્રાગભાવનો અનાધાર જે મહાપ્રલય છે તેમાં દુઃખનો ધ્વસ રહે છે તે અભાવયવિશેષણતા સંબંધથી રહી શકે નહિ, પરંતુ આત્મામાં જ રહી શકે છે. તેથી પ્રસ્તુત અનુમાન દ્વારા મહાપ્રલયમાં સર્વ જીવોના દુઃખનો ધ્વસ થાય છે તે સિદ્ધ થઈ શકે નહિ. માટે પ્રસ્તુત અનુમાનથી ઇષ્ટ એવા સાધ્યનો બાધ પ્રાપ્ત થાય છે. સંબંધમાસથી દુઃખના પ્રાગભાવના અનાધારમાં ધ્વસને સ્વીકારવામાં અર્થાતરની સિદ્ધિ -
આ દોષના નિવારણ માટે તૈયાયિક કહે કે દુ:ખના પ્રાગભાવના અનાધારમાં રહેનારો એવો ધ્વંસ અન્ય કોઈ સંબંધથી ગ્રહણ કરી શકાશે. તેને ગ્રંથકારશ્રી કહે છે –
સંબંધમાત્રથી દુઃખના પ્રાગભાવના અનાધારમાં ધ્વસને સ્વીકારવામાં આવે તો મહાપ્રલયની સિદ્ધિને બદલે અર્થાતરની સિદ્ધિ થાય. કઈ રીતે અર્થાતરની સિદ્ધિ થાય ? તેથી કહે છે – સંબંધમાત્રથી દુઃખના પ્રાગભાવના અનાધારમાં રહેનાર ધ્વસને સ્વીકારવામાં આવે તો આકાશાદિમાં પણ વ્યભિચારિતાદિ સંબંધથી દુઃખધ્વંસની પ્રાપ્તિ થાય છે. તેથી નૈયાયિકે સ્વીકારેલ અનુમાનના સાધ્યથી આકાશાદિમાં દુઃખધ્વસની પ્રાપ્તિ થાય. માટે એ સિદ્ધ થાય છે કે દુઃખત્વજાતિ દુઃખના પ્રાગભાવના અનાધાર એવા આકાશાદિમાં રહેલા દુઃખધ્વસના પ્રતિયોગી એવા દુઃખમાં વૃત્તિ છે અને તેમ સિદ્ધ થવાથી મહાપ્રલયમાં અત્યંત દુઃખનાશ થાય છે તેના બદલે આકાશાદિમાં અત્યંત દુ:ખનાશ છે તેની સિદ્ધિ થાય છે તે તૈયાયિકને અનિષ્ટ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org