SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૧-૨-૩ પ્રકૃષ્ટ દુઃખધ્વંસમાં રહેલું પ્રકૃષ્ટત્વ એ દુઃખધ્વસ સમાનકાલીનમાં અને દુઃખધ્વસના સમાનાધિકરણમાં જે ભવિષ્યમાં થનારા દુઃખનો પ્રાગભાવ વિદ્યમાન છે, તેવા દુઃખધ્વસવાળા જીવોથી ભિન્ન એવા મુક્તિના જીવો છે માટે તેઓમાં સદા માટે દુઃખનો અભાવ છે તે બતાવવા માટે વર્ધમાનાચાર્ય કહે છે – પરત્વે વ સમાનતીનસમાનધરળ૬:૩પ્રામાવાસમાનામ્”=સમાનકાલીન સમાનાધિકરણ એવા દુઃખપ્રાગભાવનું અસમાનદેશપણું પરત્વ છે. આનાથી એ પ્રાપ્ત થાય છે કે સંસારી જીવોમાં દુઃખધ્વસના સમાનકાળમાં અને દુઃખધ્વસના સમાનાધિકરણમાં ભાવિના દુઃખનો પ્રાગભાવ વિદ્યમાન છે, તેની સાથે અસમાનદેશવાળા મુક્ત જીવો છે, તેથી મુક્ત જીવોમાં અસમાનદેશત્વ છે માટે મુક્ત જીવોમાં રહેલો દુઃખધ્વંસ એ પ્રકૃષ્ટ દુઃખધ્વંસ છે. કેમ કે તેમનામાં દુઃખનો પ્રાગભાવ નથી, માત્ર દુઃખનો ધ્વંસ છે, તેથી હવે પછી ક્યારેય મુક્તના જીવોને દુઃખ પ્રાપ્ત થવાનું નથી. આ પ્રકારના વર્ધમાનાચાર્યના પરત્વના લક્ષણમાં જે સ્પષ્ટતાની આવશ્યકતા છે તે ગ્રંથકારશ્રી યશોવિજયજી મહારાજા બતાવે છે – વર્ધમાનાચાર્યના પરત્વના લક્ષણમાં ગ્રંથકારશ્રી દ્વારા કરાયેલી સ્પષ્ટતા: "यद् यत् स्वसमानकालीनस्वसमानाधिकरणदुःखप्रागभावसमानदेशमिदानीन्तनदुःखધ્વંસવ તત્ તત્ એવો નિવેશ્ય:"=વર્તમાનમાં સંસારી જીવોમાં જે જે દુઃખધ્વસના સમાનકાલીન, અને દુઃખધ્વસના અધિકરણવાળા જીવમાં દુઃખના પ્રાગભાવનો સમાનદેશ છે દુઃખધ્વસના સમાનદેશમાં દુઃખનો પ્રાગભાવ રહેલો છે અને એવા હમણાંના સંસારી જીવોના દુઃખધ્વંસાદિ છે તે તે સર્વ દુઃખધ્વંસોનો ભેદ પરત્વના લક્ષણમાં નિવેશ કરવો પડે અર્થાત્ સંસારી જીવોમાં વર્તતા તે તે દુઃખધ્વસાદિના ભેદવાળું અસમાનદેશત્વ છે=મુક્ત આત્માઓમાં વર્તતું અસમાનદેશત્વ છે એમ માનવું પડે, અને આવું ન માનીએ તો “પરમ:વધ્વંસસમાનાનીનસમાનધરપકુuપ્રામાવપ્રસિદ્ધ "=ચરમદુઃખધ્વંસના સમાનકાળમાં અને સમાનાધિકરણમાં દુઃખભાવની અપ્રસિદ્ધિ હોવાથી અસમાનદેશત્વરૂપ પરત્વ પ્રાપ્ત થાય નહીં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004691
Book TitleMukti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy