SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ૫ દીક્ષાહાચિંશિકા/બ્લોક-રપ-૨૦ વિશેષાર્થ - અહીં વિશેષ એ છે કે શુદ્ધઉપયોગની વાસના બે પ્રકારની છે – (૧) કેટલાક જીવોને બોધ હોય છે કે “મારા આત્માનું શુદ્ધ સ્વરૂપ આવા પ્રકારનું છે અને મારે તેને પ્રગટ કરવું છે અને આ બોધ ઉપયોગરૂપે વર્તતો હોય ત્યારે કંઈક શુદ્ધ આત્મસ્વરૂપને પ્રગટ કરવાને અનુકૂળ ઉદ્યમ થાય છે; પરંતુ તે પ્રકારનો ઉપયોગ વર્તતો નથી અને આહાર-વિહારાદિની અન્ય ક્રિયાઓ કરે છે, ત્યારે પોતાના લક્ષ્યનું સ્મરણ હોતું નથી, પરંતુ જે આહાર-વિહારાદિની ક્રિયાઓ કરે છે, તે ક્રિયાઓમાં ઉપયોગ હોય છે તેવા સાધકોમાં શુદ્ધઉપયોગ વાસનારૂપે પડેલ હોવા છતાં સુષુપ્ત છે, તેથી આહારાદિની કરાતી ક્રિયા સાથે સંલગ્ન થઈને શુદ્ધઉપયોગની વાસના શુદ્ધ આત્મતત્ત્વના વિશેષ પ્રકારના આવિર્ભાવનું કારણ બનતી નથી. માટે આહાર-વિહારાદિ ક્રિયાકાળમાં સુષુપ્ત વાસનારૂપે રહેલ શુદ્ધઉપયોગથી શુદ્ધઉપયોગરૂપ દીક્ષાના ફળની પ્રાપ્તિ થતી નથી; પરંતુ જે આહારાદિની ક્રિયા કરે છે, તે ક્રિયાકાળમાં જે પ્રકારનો મોહનો પરિણામ વર્તે છે, તેને અનુરૂપ ફળની પ્રાપ્તિ થાય છે. (૨) વળી જે સાધકો શુદ્ધઉપયોગરૂપ દીક્ષાને સેવનારા છે અને શુદ્ધ આત્માના આવિર્ભાવના લક્ષ્યના વિસ્મરણ વગર દરેક ઉચિત ક્રિયા કરે છે, તેઓને આહારાદિની ક્રિયાઓ કરતા હોય ત્યારે પણ પોતાના લક્ષ્યનું વિસ્મરણ નથી. તેથી આત્માના શુદ્ધ સ્વરૂપનો મારે આવિર્ભાવ કરવો છે, એ પ્રકારની વાસનાથી નિયંત્રિત આહારાદિની પ્રવૃત્તિ કરે છે માટે આહારાદિની પ્રવૃત્તિ પણ મોહ ન સ્પર્શે તે રીતે કરે છે, તેથી આહારાદિની પ્રવૃત્તિમાં ઉપયોગ હોવા છતાં વાસનારૂપે રહેલ શુદ્ધઉપયોગરૂપ દીક્ષાના ફળરૂપ મોહનું ઉન્મેલન આહારાદિના પ્રવૃત્તિકાળમાં પણ તેઓને થાય છે. તેથી આહારાદિના ક્રિયાકાળમાં પણ તેઓને શુદ્ધઉપયોગરૂપ દિક્ષાના ફળની પ્રાપ્તિ છે. ||રપા અવતરણિકા - શ્લોક-૨૫માં કહ્યું કે દીક્ષા શુદ્ધઉપયોગરૂપ છે, અને આહારાદિના પ્રવૃત્તિકાળમાં પણ વાસનારૂપે શુદ્ધઉપયોગરૂપ દીક્ષાનો વિચ્છેદ નથી. ત્યાં દિગંબર કહે છે - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004688
Book TitleDiksha Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy