________________
૪૮
દીક્ષાત્કાલિંશિકા/શ્લોક-૧૭ શ્લોક :
शरीरेणैव युध्यन्ते दीक्षापरिणतौ बुधाः ।
दुर्लभं वैरिणं प्राप्य व्यावृत्ता बाह्ययुद्धतः ।।१७।। અન્વયાર્થ -
રીક્ષા પરિપતો-દીક્ષાની પરિણતિ થયે છતે દુર્તમ વેરિdi પ્રાધ્ય દુર્લભ વૈરીને પ્રાપ્ત કરીને વાહ્યયુદ્ધતા=બાહ્ય યુદ્ધથી વ્યાવૃત્તા સુધા=વ્યાવૃત્ત થયેલા બુધપુરુષોન બુદ્ધિમાન પુરુષો, શરીરવ પુષ્યન્ત શરીરની સાથે જ યુદ્ધ કરે છે. I૧૭ શ્લોકાર્ચ - દીક્ષાની પરિણતિ થયે છતે, દુર્લભ વૈરીને પ્રાપ્ત કરીને, બાહ્ય યુદ્ધથી વ્યાવૃત્ત થયેલા બુધ પુરુષો=બુદ્ધિમાન પુરુષો, શરીરની સાથે જ યુદ્ધ કરે છે. II૧ના ભાવાર્થ :બાહ્ય શત્રુ સાથે યુદ્ધથી વ્યાવૃત્ત થઈને દીક્ષાની પરિણતિવાળા બુદ્ધિમાન પુરુષોનું અંતરંગ શત્રુભૂત દેહ સાથે યુદ્ધ :
દીક્ષાનો અર્થ ગ્રંથકારે કરેલ કે “જે શ્રેયનું દાન કરે છે અને અશિવનું ક્ષપણ કરે છે,” તે દીક્ષા છે. તેથી જે જીવમાં અશુભ એવા મોહના સંસ્કારના ક્ષપણની અને અશુભ એવાં કર્મોના ક્ષપણની પરિણતિ પ્રગટે, અને શ્રેયોભૂત એવા સંસ્કારોના આધાનની અને શ્રેયોભૂત એવા પુણ્યબંધની પરિણતિ પ્રગટે, તે જીવમાં દીક્ષાની પરિણતિ વર્તે છે; અને જેમાં દીક્ષાની પરિણતિ વર્તી રહી છે, તેવા બુધ પુરુષો સંસારના પારમાર્થિક સ્વરૂપને જોનારા છે. તેથી બાહ્ય શત્રુ પોતાના શત્રુ નથી, પરંતુ પોતાનો પરમ શત્રુ આ કાર્મણ દેહ છે અને આ
દારિક દેહ છે, તેવો સ્થિર નિર્ણય કરીને બાહ્ય યુદ્ધથી વ્યાવૃત્ત થાય છે, અને પોતાના શત્રુરૂપે ઓળખવો જેને દુર્લભ છે, એવા શત્રુભૂત દેહને શત્રુરૂપે પ્રાપ્ત કરીને તેની સાથે જ યુદ્ધ કરે છે અર્થાત્ અંતરંગ શત્રુભૂત કાર્મણ દેહના અને એના ઉપષ્ટભક દારિક દેહના વિનાશ માટે જ સર્વ ઉદ્યમ કરે છે. આનાથી એ પ્રાપ્ત થાય છે કે કોઈ સાધુ સર્વ ઉદ્યમથી બાહ્ય તપમાં ઉદ્યમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org