SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ દીક્ષાઢાત્રિશિકા/બ્લોક-૧૦ ભાવાર્થ :વચનક્ષમાના પ્રાદુર્ભાવથી એક વર્ષના પર્યાય પછી નિરતિચાર એવી ધર્મક્ષમા દ્વારા દશ યતિધર્મની શુક્લતા : સંયમ ગ્રહણ કર્યા પછી જે મહાત્માઓ ત્રણ ગુપ્તિના સામ્રાજ્યવાળા છે અને સતત અપ્રમાદભાવથી ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા આદિમાં ઉદ્યમ કરે છે, તેઓ વચનક્ષમાદિના બળથી બાર મહિના પછી ક્રિયાના મળનો ત્યાગ થવાથી નિરતિચાર એવા ધર્મક્ષમાદિને પ્રાપ્ત કરે છે, અને વચનક્ષમાથી પ્રાપ્ત થતા નિરતિચાર ધર્મક્ષમાદિ દ્વારા તે મહાત્માઓ શુક્લપણાને પ્રાપ્ત કરે છે અર્થાત્ શુક્લ એવા દશ પ્રકારના યતિધર્મને પ્રાપ્ત કરે છે. વિશેષાર્થ : અહીં વિશેષ એ છે કે જીવમાં અનાદિકાળથી મોહને અનુકૂળ પરિણામ વર્તે છે, જે આત્માને અસત્ ક્રિયાઓ કરાવે છે, તે મોહને અનુકૂળ એવો પરિણામ ક્રિયામળ છે અર્થાત્ અસતુક્રિયા કરાવે એવો આત્મા ઉપર લાગેલો મળ છે, જે મળનો ત્યાગ વચનાનુષ્ઠાનથી ક્રમસર થાય છે. જ્યારે અસન્ક્રિયા કરાવનાર એવા ક્રિયામળનો ત્યાગ થાય ત્યારે જીવમાં સ્વભાવસિદ્ધ ક્રિયા પ્રગટે છે, અને આ સ્વભાવસિદ્ધ ક્રિયાને કારણે જીવ નિરતિચાર એવા ધર્મક્ષમાદિનું સેવન કરે છે, અને નિરતિચાર એવા ધર્મક્ષમાદિનું સેવન કરવાથી પરમ શુક્લ એવા ક્ષમાદિભાવો આત્મામાં પ્રગટે છે. આથી એ ફલિત થાય છે કે આત્માની સક્રિયા એટલે જીવનો પૂર્ણ શક્તિથી ક્ષમાદિભાવોને પૂર્ણ ભૂમિકા તરફ લઈ જવાને અનુકૂળ ધ્યાનમાં વર્તતો યત્ન. આવો યત્ન કરવામાં બાધક એવો જે ક્રિયામળ જીવમાં હતો, તે ક્રિયામળનો વચનાનુષ્ઠાનના સેવનથી ત્યાગ થવાથી નિરતિચાર એવા ધર્મક્ષમાદિ ભાવો પ્રગટ્યા, અને તેના કારણે નિર્મળ સમાધિભાવરૂપ આત્માનું સ્વરૂપ પ્રગટ્યું. તેથી દીક્ષા ક્રમે કરીને બાર મહિના પછી પરમ શુક્લ એવી આત્માની અવસ્થાનું કારણ બને છે. ll૧ના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004688
Book TitleDiksha Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy