SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ દીક્ષાત્કાત્રિશિકાશ્લોક-૭-૮ આ રીતે શાસ્ત્રમાં પાંચ પ્રકારની ક્ષમા કહેલ છે. પ્રથમની ત્રણ ક્ષમા અને વચનક્ષમા વચ્ચેનો ભેદ : જે જીવોનું ક્લેશ પ્રત્યેનું વલણ કાંઈક મંદ થયું છે, તેથી ક્ષમાદિ ગુણોના પક્ષપાતી થયા છે. આમ છતાં ભગવાનના વચનના બળથી ક્ષમાદિ ભાવોમાં યત્ન કરી શકે તેવી વિશિષ્ટ શક્તિનો સંચય થયો નથી, આવા જીવો જ્યારે ઉપકારી કટુ વચન કહેતા હોય તે વખતે ઉપકારીના ઉપકારનું સ્મરણ કરીને ક્ષમામાં ઉદ્યમ કરે છે; અને જ્યારે અન્યથી અપકાર થવાની સંભાવના હોય તે વખતે અપકારનું સ્મરણ કરીને ક્ષમામાં ઉદ્યમ કરે છે; અને જ્યારે પ્રતિકૂળ વચન કહેનાર પોતાનો ઉપકારી ન હોય કે પોતાનો અપકાર કરી શકે તેમ ન હોય તેવા પ્રસંગે પણ કર્મના વિપાકનું ચિંતવન કરીને ક્ષમામાં ઉદ્યમ કરે છે. તેથી આવા જીવો જોકે સર્વ નિમિત્તોમાં ક્ષમા પ્રત્યે ઉદ્યમ કરનારા છે, આમ છતાં ભગવાનના વચનના સ્મરણના બળથી ત્રણ ગુપ્તિના પરિણામોને તેઓ પામ્યા નથી, તેથી તેઓને સંયોગ પ્રમાણે તે ત્રણમાંથી કોઈપણ પ્રકારની ક્ષમા હોય છે, પરંતુ વચનક્ષમા નથી, એટલો વચનક્ષમા અને પ્રથમની ત્રણ ક્ષમા વચ્ચેનો ભેદ છે. II૭ના અવતરણિકા : શ્લોક-૬માં કહ્યું કે દીક્ષામાં વચનાનુષ્ઠાનથી અસંગાનુષ્ઠાનની પ્રાપ્તિ થાય છે. તેથી હવે અનુષ્ઠાન કેટલા પ્રકારનાં છે, તે બતાવે છે; અને પૂર્વશ્લોકમાં પાંચ પ્રકારની ક્ષમા બતાવેલી, તેનું અનુષ્ઠાન સાથે યોજન બતાવે છે – શ્લોક : प्रीतिभक्तिवचोऽसङ्गरनुष्ठानं चतुर्विधम् ।। आद्यद्वये क्षमास्तिस्रोऽन्तिमे द्वे चान्तिमद्वये ।।८।। અન્વયાર્ચ - પ્રતિમવિક્તવવોડસરનુષ્ઠાનં-પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગના નિમિત્તથી અનુષ્ઠાન ચતુર્વિઘ—ચાર પ્રકારનું છે આદ્યારે પ્રથમઢયમાં પ્રીતિ અને ભક્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004688
Book TitleDiksha Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy