SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ દીક્ષાદ્વાત્રિંશિકા[શ્લોક-૫ "कीर्त्त्यारोग्य યતિતવ્યમ્” ।। “નિયમથી નામાદિને કીર્તિની સંપ્રાપ્તિના, આરોગ્યની સંપ્રાપ્તિના, ધ્રુવની=સ્વૈર્યની સંપ્રાપ્તિના, પદની=આચાર્યત્વાદિપદની સંપ્રાપ્તિના સૂચક આચાર્ય કહે છે. તે કારણથી તેઓમાં=નામાદિમાં, યત્ન કરવો જોઈએનામાદિનું જે તાત્પર્ય છે, એને અનુકૂળ ઉદ્યમ કરવો જોઈએ.” ૧૪ अत्र વવૃત્તિ ।। અહીં=ષોડશકના શ્લોક-૧૨/૯માં “ધ્રુવ” એ પ્રકારનું પદ ભાવપ્રધાન નિર્દેશ હોવાને કારણે ‘ધ્રુવત્વ’નું=“સ્વૈર્ય”નું વાચક છે, એમ કહે છે. પા ***** * રનોહરળનુવંસ્વિતિ માં ‘અવિ’ પદથી સાધુનાં અન્ય ઉપકરણોનું ગ્રહણ કરવાનું છે. * આવારાદ્રિ માં ‘આર્િ' પદથી સૂયગડાંગ આદિ શ્રુતનું ગ્રહણ કરવું. * સમ્યÁનતિ માં ‘આવિ’ પદથી સમ્યજ્ઞાન અને સમ્યકૂચારિત્રનું ગ્રહણ કરવું. * આચાર્યત્વાતિ માં ‘વિ’ પદથી તીર્થંકરત્વ-સિદ્ધત્વાદિનું ગ્રહણ કરવું. * સામત્સ્યેનાપિ માં ‘પિ’ થી એ કહેવું છે કે નામાદિ પ્રત્યેકનાં તો તે તે પ્રત્યેક કાર્યો છે, પરંતુ સમસ્ત એવા નામાદિ ચારેયનાં પણ તે તે પ્રત્યેક કાર્યો છે. ભાવાર્થ : (૧) નામનિક્ષેપાનું કાર્ય : - શ્લોક-૩માં બતાવ્યું એવા ગુણવાળા પુરુષને દીક્ષા અપાય છે ત્યારે, તેનામાં જે ગુણ પ્રધાનરૂપે દેખાય, તે ગુણને સામે રાખીને તેનું નામ અપાય છે. તેથી તે નામ ગુણનિષ્પન્ન નામ કહેવાય છે અને તે નામ દ્વારા તે મહાત્માની કીર્તિ થાય છે અર્થાત્ તે નામ દ્વારા તે મહાત્માની, વિદ્વાન પુરુષોને આ સાધુ આવા ગુણવાળા છે, તેવી બુદ્ધિ થાય છે; અને જે પુરુષો તે નામના અર્થમાં વ્યુત્પન્ન નથી, તેઓને પણ તે નામના શ્રવણથી પ્રીતિ થાય છે. જેમ ભદ્રબાહુસ્વામિ વગેરેના નામના શ્રવણથી, તે નામો ગુણનિષ્પન્ન હોવાથી વિદ્વાનોને બહુમાન થાય છે, અને સામાન્ય જનોને પણ તે નામ સાંભળવાથી મનમાં આહ્લાદ થાય છે. માટે સાધુના ગુણનિષ્પક્ષ નામથી આ સાધુ મહાત્મા છે, તેવી કીર્તિ થાય છે. (૨) સ્થાપનાનિક્ષેપાનું કાર્ય : યોગ્ય જીવોને દીક્ષા અપાય છે ત્યારે રજોહરણ, મુખવસ્ત્રિકાદિ અપાય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004688
Book TitleDiksha Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy