________________
દીક્ષાત્કાત્રિશિકા/બ્લોક-૪-૫
૧૧ અવશ્ય ઉદ્યમ કરે છે. તેથી તેવા જીવોને અપાયેલું નામ તેમના દીક્ષાના ભાવને સુરક્ષિત કરવાનું પ્રબળ કારણ છે. જે જીવો જાતિસંપન્ન અને કુળસંપન્ન નથી, તેવા જીવો દીક્ષાના અધિકારી નથી. તેથી તેવા જીવોને અપાયેલું નામ કે તેવા જીવોને અપાયેલી દીક્ષા પરમાર્થથી દીક્ષા નથી.
વિશેષાર્થ :
અહીં વિશેષ એ છે કે પોડશકના સાક્ષીપાઠમાં કહ્યું તે પ્રમાણે નામન્યાસ એ મુખ્ય દીક્ષા છે અને અન્ય ક્રિયાઓ તેનાં પૂર્વ-ઉત્તરભાવિ અંગો છે. તેથી એ પ્રાપ્ત થાય કે જાતિસંપન્ન અને કુળસંપન્ન જીવો સમ્યગુ ગુરુરાગથી ક્રિયાની યોગ્યતાને પ્રાપ્ત કરે ત્યારે દીક્ષા માટે યોગ્ય બને છે; અને તે યોગ્ય બનેલા જીવને ઈરિયાવહી આદિ સંયમની ક્રિયાકલાપ દ્વારા વિશુદ્ધ ચિત્તવાળો બનાવીને પ્રતિજ્ઞા આપવામાં આવે છે ત્યારે, તે જીવમાં તે પ્રકારનો શ્રતનો સંકલ્પ સ્થિર થાય છે કે “હવે મારે આ પ્રતિજ્ઞાને અનુરૂપ ઉચિત આચારોમાં ઉદ્યમ કરવો જોઈએ, જેથી મારી પ્રતિજ્ઞાનું પાલન થાય,” ત્યારપછી નામ ન્યાસ કરવામાં આવે છે, જેથી જીવને તે નામને અનુકૂળ અંતરંગ ઉદ્યમ કરવાનો વર્ષોલ્લાસ થાય છે, અને સંયમની ઉચિત ક્રિયાઓને પાળીને પોતાના નામને અનુકૂળ ભાવોમાં ઉદ્યમ થાય છે. તેથી મુખ્ય દીક્ષા નામની સ્થાપનારૂપ છે અને પોતાના નામને અવલંબીને ભાવો કરવામાં પ્રતિજ્ઞા આદિની અન્ય ક્રિયાઓ ઉપષ્ટભક બને છે અને દીક્ષાની અન્ય સર્વ ક્રિયાઓમાંથી કેટલીક ક્રિયાઓ પૂર્વાગરૂપ છે અને કેટલીક ક્રિયાઓ ઉત્તરાંગરૂપ છે. આઝા અવતરણિકા :
પૂર્વશ્લોકમાં કહ્યું કે નામાદિવ્યાસપૂર્વક યોગ્યને દીક્ષા આપવી, તેથી હવે તે નામાદિ ચારનાં કાર્યો બતાવે છે – શ્લોક :
नाम्नान्वर्थेन कीर्तिः स्यात् स्थापनारोग्यकारिणी । द्रव्येण च व्रतस्थैर्य भावः सत्पददीपनः ।।५।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org