SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ દીક્ષાદ્વાચિંશિકા/શ્લોક-૪ તલુવતમ્ - તે કહેવાયું છે=શ્લોકમાં જે કહેવાયું છે, તે ષોડશક-૧૨-૭ ઉત્તરાર્ધમાં અને ૧૨-૮માં કહેવાયું છે. “તત્રાદ્રિ ..... ૩૫વર:” |“સ્વગુરુના યોજનથી=દીક્ષાવિધિના નામસ્થાપન વખતે કોટી, ગણ ઈત્યાદિ જે બોલાય છે, તેના યોજનથી, તે નામાદિનું સ્થાપન=પ્રવચનપ્રસિદ્ધ એવા નામાદિ ચારનું સ્થાપન, અવિદ્રત છેઃઉપપ્પવરહિત છે. ચ=જે કારણથી નામના નિમિત્તે તત્ત્વ છેઃનામથી પ્રતિપાઘ ગુણત્વ છે અને તે તે સ્વરૂપે, અહીં=પ્રવચનમાં, પુરા=પૂર્વ મુનિઓ વડે ઉદ્ધત છે કૃતનિર્વાહવાળું છે, તે કારણથી તેની સ્થાપના જ= નામની સ્થાપના જ, તત્ત્વથી દીક્ષા છે; અવ્ય અન્ય ક્રિયાનો કલાપ, તેનો ઉપચાર છેઃનામની સ્થાપનારૂપ મુખ્ય દીક્ષાનો પૂર્વ-ઉત્તર ભાવથી અંગમાત્રરૂપ ઉપચાર છે.” મારા ભાવાર્થ :દીક્ષાના નિર્વાહમાં નામનું સ્થાપન પ્રબળ કારણ : પૂર્વશ્લોકમાં સંયમને યોગ્ય જીવો કેવા હોય તેનું સ્વરૂપ બતાવ્યું, અને તેવા યોગ્ય જીવોને નામાદિન્યાસપૂર્વક શાસ્ત્રવિધિ અનુસાર દીક્ષા આપવી જોઈએ એમ કહ્યું, તેમાં સંપ્રદાય અનુસાર દીક્ષાર્થી જીવમાં જે નામનો ન્યાસ કરવામાં આવે છે, તે નામના ન્યાસથી દીક્ષાર્થી જીવ નિર્વિઘ્ન દીક્ષાનો નિર્વાહ કરી શકે છે અર્થાત્ શ્રેયનું દાન અને અશિવનું પણ કરે તેવા સંયમના પરિણામનો નિર્વિઘ્ન નિર્વાહ કરી શકે છે; કેમ કે કોઈ સાધુનું “પ્રશાન્ત” નામ આપવામાં આવે તો દીક્ષા વખતે પાડેલા તે નામના સ્મરણથી અને તે નામ અનુસાર અંતરંગ પ્રયત્નથી તે સાધુ સદા પ્રશમની વૃદ્ધિને અનુકૂળ ઉદ્યમ કરી શકે; અને પ્રશમની વૃદ્ધિમાં ઉદ્યમ કરવો તે “દીક્ષા' શબ્દથી વાચ્ય સંયમનો પરિણામ છે, તેથી દીક્ષાના નિર્વાહમાં નામનું સ્થાપન પ્રબળ કારણ છે. અહીં પ્રશ્ન થાય કે કોઈને પ્રશાન્ત નામ આપવા માત્રથી પ્રશમને અનુકૂળ ગુણનું સ્મરણ થાય અને પ્રશમભાવની વૃદ્ધિને અનુકૂળ યત્ન થાય તેવું કેમ કહી શકાય ? તેથી કહે છે – જે જીવ જાતિ, કુળાદિથી સંપન્ન છે, તે જીવ સ્વીકારાયેલા નિયમના પાલનમાં અવશ્ય ઉદ્યમ કરે છે. માટે ગુરુએ આપેલા નામથી પોતે પ્રશમભાવમાં ઉદ્યમ કરવાનો જે સ્વીકાર કર્યો, તેના પાલનમાં જાતિસંપન્ન અને કુળસંપન્ન જીવો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004688
Book TitleDiksha Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy