________________
૧૦.
દીક્ષાદ્વાચિંશિકા/સંકલના ભક્તિઅનુષ્ઠાનકાળમાં સ્થૂલ અતિચારો લાગે છે અને ઘન અતિચારો વર્તે છે અર્થાત્ નિરંતર અતિચારો વર્તે છે.
આનાથી એ ફલિત થાય કે આભ્યાસિકી દીક્ષારૂપ જે પ્રીતિઅનુષ્ઠાન અને ભક્તિઅનુષ્ઠાન છે, તે અનુષ્ઠાનમાં ક્ષમાદિ ભાવો વર્તે છે, તોપણ ભાવદીક્ષાને અભિમત એવા ક્ષમાદિ ભાવો નથી, તેથી સંયમના આચારો પણ ભગવાનના વચનના નિયંત્રણ અનુસાર થતા નથી. તેથી સ્થૂલ અને સતત અતિચારો વર્તે છે. વચનઅનુષ્ઠાનકાળમાં ભાવથી દીક્ષા પ્રગટેલી છે, તેથી સાધક આત્મા ભગવાનના વચનને પરતંત્ર થઈને મોહના ઉમૂલન માટે સતત ઉદ્યમ કરે છે. આમ છતાં અનાભોગથી કે સહસાત્કારથી અનુષ્ઠાનમાં ક્વચિત્ સ્કૂલનાઓ થાય છે; કેમ કે સઅનુષ્ઠાન જીવની પ્રકૃતિરૂપે થયેલ નથી અને વળી તે મહાત્મા વચનઅનુષ્ઠાન સેવીને અસંગઅનુષ્ઠાન પ્રાપ્ત કરે છે, ત્યારે નિરતિચાર એવા ધર્મક્ષમાદિ ભાવો પ્રગટે છે. તેથી તે મહાત્મા સર્વ ઉદ્યમથી શુદ્ધ આત્માના ભાવોને ઉત્તરોત્તર વૃદ્ધિ કરવા યત્ન કરે છે, અને આવા સાધક બાર મહિનાના સંયમ પર્યાય પછી શુક્લત્વ ધર્મને પ્રાપ્ત કરે છે અર્થાત્ તેના ક્ષમાદિભાવો શુક્લ બને છે. ભગવાનના વચનાનુસાર સુદઢ પ્રયત્નપૂર્વક પ્રવર્તતી ક્ષણોનો દીક્ષાના પર્યાયરૂપે સ્વીકાર :દિીક્ષાના ગ્રહણથી માંડીને કેટલા વર્ષનું સંયમ પાલન છે, તેની ગણના સ્કૂલ વ્યવહારથી થાય છે. પરમાર્થથી તો ભગવાનના વચનાનુસાર સુદઢ વ્યાપારરૂપ ગુણનો વિઘાત ન થાય તેવી જેટલી ક્ષણો છે, તેટલી ક્ષણો સંયમનો પર્યાય ગણાય છે; કેમ કે જે મહાત્મા જેટલી ક્ષણો સુભટની જેમ મોહના ઉન્મેલન માટે અપ્રમાદથી યત્ન કરે તેટલી ક્ષણો કલ્યાણને કરનારી છે. તે સિવાયની ક્ષણો કલ્યાણને કરનારી નથી અને અશિવનું ક્ષપણ કરનારી નથી માટે સાધુની તે ક્ષણો દીક્ષાનો પર્યાય નથી. જેમનો મોહના ઉમૂલનને અનુકૂળ યત્ન ન હોય તેમની દીક્ષા અનર્થકારી -
જેઓને બાહ્ય વિષયો પ્રત્યેનો અનુરાગ ઓછો થયો નથી, તેથી દીક્ષા ગ્રહણ કર્યા પછી પણ મોહના ઉન્મેલનને અનુકૂળ લેશ પણ યત્ન કરતા નથી, તેઓની દીક્ષા અનર્થને કરનારી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org