________________
દીક્ષાત્કાચિંશિકા/શ્લોક-૩૨ અને શુભઉપયોગવાળા સાધુઓને પરમદીક્ષા નથી,” તેનું નિરાકરણ થઈ જાય છે; કેમ કે સામાયિકના પરિણામરૂપ સદ્દીક્ષા એક હોવા છતાં ભૂમિકાના ભેદથી સદ્દીક્ષા ચિત્ર પ્રકારની ક્રિયા સ્વરૂપ છે, તેથી આદ્ય ભૂમિકાવાળા સાધુ સમભાવના પરિણામવાળા છે અને સ્વભૂમિકા અનુસાર સંયમની ક્રિયાઓ કરે છે અને ઉપરિતન ભૂમિકાવાળા સાધુ સમભાવના પરિણામવાળા છે અને સ્વભૂમિકા અનુસાર આત્મમાત્રમાં પ્રતિબંધને ધારણ કરીને ધ્યાનમાં યત્ન કરે છે, તેથી પ્રારંભિક ભૂમિકાવાળા કે ઉપરિતન ભૂમિકાવાળા સાધુની ક્રિયાનો ભેદ હોવા છતાં સમભાવના પરિણામથી તે સર્વની દીક્ષા મોક્ષફળને સાધનારી હોવાથી તુલ્ય કક્ષાવાળી છે. જ્ઞાન-ક્રિયાના સમુચ્ચયથી દીક્ષા મોક્ષનું કારણ :
વળી આ દીક્ષા જ્ઞાન-ક્રિયાના સમુચ્ચયથી શિષ્ટ પુરુષો વડે મોક્ષનું કારણ મનાઈ છે. તેથી એ ફલિત થાય કે સાધુને મોક્ષના ઉપાયભૂત સમ્યજ્ઞાન, અને તે સમ્યજ્ઞાનથી નિયંત્રિત સમ્યમ્ ક્રિયા, બન્ને પ્રત્યે સમાન પક્ષપાત છે. આથી સાધુઓ માત્ર ક્રિયા કરીને સંતોષ પામતા નથી, કે માત્ર જ્ઞાન મેળવીને સંતોષ પામતા નથી, પરંતુ ભગવાનના વચનના પરમાર્થને જાણવા માટે સર્વ ઉદ્યમ કરે છે, અને જાણ્યા પછી ભગવાનના વચનાનુસાર સમ્યગુ પ્રવૃત્તિ કરવા માટે પર્વ ઉદ્યમ કરે છે, આથી ગીતાર્થ પણ સાધુ સ્વભૂમિકા અનુસાર ઉત્તર-ઉત્તરના જ્ઞાનમાં ઉદ્યમ કરે છે, અને જ્ઞાન નિષ્પન્ન કરીને તે શ્રતથી આત્માને વાસિત કરે છે, જેથી મૃતથી નિયંત્રિત ઉત્તમ ભૂમિકાના સમભાવના પરિણામની પ્રાપ્તિ થાય, તે તત્ત્વસંવેદનાત્મક જ્ઞાનસ્વરૂપ છે અને આ જ્ઞાનનો પરિણામ જ સામાયિકનો પરિણામ છે અને તે પરિણામની વૃદ્ધિ માટે સ્વભૂમિકા અનુસાર તે મહાત્મા સર્વ ક્રિયા કરે છે, તેથી તે મહાત્મા જ્ઞાન-ક્રિયામાં તુલ્ય પક્ષપાતપૂર્વક ઉદ્યમ કરીને પરમાનંદરૂ૫ મોક્ષને પ્રાપ્ત કરે છે.
વળી જેઓ અવિરત સમ્યગ્દષ્ટિ છે, તેઓ પણ મોક્ષના અર્થી છે. આમ છતાં જ્ઞાન-ક્રિયામાં તુલ્યબળપણાની પ્રવૃત્તિ કરતા નથી, કેમ કે અવિરત સમ્યગ્દષ્ટિને ક્રિયાના વ્યત્યયને કરાવનારું ચારિત્રમોહનીયકર્મ ઉદયમાં છે. તેથી પોતાની શક્તિનું સમાલોચન કરીને માત્ર જ્ઞાનમાં સમ્યગુ યત્ન કરે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org