________________
૬
દીક્ષાદ્વાત્રિંશિકા/બ્લોક-૩૦
ક્રિયાઓને તો વ્યુત્થાનદશારૂપે સ્વીકારવાની આપત્તિ આવે, પરંતુ સમાધિના પ્રારંભમાં પણ વ્યુત્થાનદશા સ્વીકારવાની આપત્તિ આવે.
*
મે રિર્મળિ અહીં ‘અવિ’ થી પ્રમોદભાવના, કરુણાભાવના વગેરેનું ગ્રહણ કરવું.
ભાવાર્થ :
દિગંબરો શુભઉપયોગવાળી ક્રિયામાં વ્યુત્થાનદશા કહે છે, તેનું ગ્રંથકારશ્રી દ્વારા નિરાકરણ :
દિગંબરો શુદ્ધઉપયોગને મોક્ષનું કારણ કહે છે, અને શુભઉપયોગને મોક્ષનું કારણ સ્વીકારતા નથી; અને કહે છે - શુદ્ધઉપયોગમાં જવા માટે અસમર્થ સાધુ શુભઉપયોગની ક્રિયા કરે છે, તોપણ તે શુભઉપયોગની ક્રિયા શુદ્ધઉપયોગરૂપ ધ્યાન માટે વિઘ્નભૂત છે, માટે શુભઉપયોગવાળી ક્રિયામાં વ્યુત્થાનદશા છે; કેમ કે આત્મમાત્રમાં પ્રતિબંધને ધારણ કરવારૂપ ધ્યાન થતું નથી.
દિગંબરોનો આશય એ છે કે સર્વદ્રવ્ય, સર્વક્ષેત્ર, સર્વકાળ અને સર્વભાવ પ્રત્યે પ્રતિબંધનો ત્યાગ કરીને જેઓ આત્મભાવમાત્રમાં પ્રતિબંધને ધારણ કરે છે, તેઓ સદા શુદ્ધ આત્મભાવમાં મગ્ન રહે છે; અને શુદ્ધ આત્મભાવમાં મગ્ન રહેવારૂપ ધ્યાન મોક્ષનું કારણ છે, અને વ્યવહારનયને અભિમત સંયમની ક્રિયાઓ તો ધ્યાનમાં વિઘ્નભૂત છે, તેથી વ્યુત્થાનદશા છે અર્થાત્ શુદ્ધ આત્માના છે ભાવમાં જવાને અનુકૂળ ક્રિયા નથી. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે
-
વ્યવહારની ક્રિયામાં ધ્યાનનો અપ્રતિબંધ છે અર્થાત્ વ્યવહારની ક્રિયાઓ ધ્યાનમાં વિઘ્ન કરનારી નથી, પરંતુ ધ્યાનને અનુકૂળ છે. માટે વ્યવહારનયને અભિમત સંયમની ક્રિયાઓમાં વ્યુત્થાનદશા નથી.
અહીં પ્રશ્ન થાય કે સંયમની ક્રિયા ધ્યાનનો પ્રતિબંધ કરતી નથી, એમ કેમ કહી શકાય ? તેથી કહે છે
=
સંયમની ક્રિયા સુવ્યાપારરૂપ છે, તેથી તે ક્રિયાઓ મન-વચન-કાયાના યોગોરૂપ કરણના, નિરોધને અનુકૂળ છે. આશય એ છે કે ધ્યાન મન-વચન-કાયાના યોગોરૂપ કરણના, નિરોધરૂપ છે, અને સંયમની આચરણાઓ કરણના નિરોધને અનુકૂળ છે, તેથી ધ્યાનની વ્યાઘાતક નથી, પરંતુ ધ્યાનની પ્રાપ્તિમાં સહાયક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org