________________
૮૨
ગુણ કઈ રીતે સંભવે ? તેના સમાધાન અર્થે કહે છે
માષતુષાદિ જેવા મુનિઓને કે જેઓએ સદીક્ષા ગ્રહણ કરેલ છે, પરંતુ શાસ્ત્ર ભણીને જે મહાત્માઓ હજુ સંપન્ન થયા નથી, તેવા મહાત્માઓને જ્ઞાનાદિનો અપ્રકર્ષ હોવા છતાં પણ ગુણવાનનું પરતંત્રપણું છે અને તેઓમાં વર્તતા ગુણવાનના પરતંત્રપણામાં ચારિત્રની નિષ્પત્તિની યોગ્યતા છે, માટે તેઓમાં ચરણગુણની નિષ્પત્તિ છે.
દીક્ષાદ્વાત્રિંશિકા/બ્લોક-૨૯
આશય એ છે કે દીક્ષાની આદ્ય ભૂમિકામાં પણ જે મહાત્માઓ સંસારથી વિરક્ત છે, તેથી “મારે સર્વ શક્તિથી અસંગભાવની શક્તિનો સંચય કરવો છે” તેવું લક્ષ્ય સ્થિર કરીને સંસારના ભાવોથી મન-વચન-કાયાની સંવૃતિપૂર્વક અસંગભાવના ઉપાયરૂપ સર્વ સંયમની ઉચિત ક્રિયાઓ ગુણવાનને પરતંત્ર થઈને કરે છે. ગુણવાન ગુરુ પણ વીતરાગભાવને અનુકૂળ અસંગભાવની શક્તિનો સંચય થાય તે પ્રકારે ઉચિત ક્રિયાઓ યોગ્ય શિષ્યને બતાવે છે, જેના બળથી અસંગભાવના અર્થી એવા યોગ્ય શિષ્ય પણ ગુરુના વચનના મર્મને જાણવા માટે સર્વ ઉદ્યમથી યત્ન કરે છે, અને તે પ્રકારે તેને અવધારણ કરીને અપ્રમાદભાવથી તે પ્રકારે ક્રિયા કરે છે. તેથી ગુરુના જ્ઞાનના બળથી શિષ્યની ક્રિયા પણ લક્ષ્યની નિષ્પત્તિનું કારણ બને તે પ્રકારે થાય છે. તેથી તેવા સાધુમાં પણ અનારંભીપણું છે.
અહીં પ્રશ્ન થાય કે આદ્ય ભૂમિકામાં કોઈની બુદ્ધિ તેવી પટુ ન હોય તો ગુરુ જે ક્રિયાથી જે પ્રકારનો અંતરંગ અને બહિરંગ ઉદ્યમ બતાવે છે, તે ક્રિયાના મર્મને તે રીતે ગ્રહણ ન કરી શકે તો કંઈક તવિષયક અનાભોગ પણ થઈ શકે છે, અને કોઈક સ્થાનમાં સંશય પણ થઈ શકે છે, તેથી તેઓની ક્રિયા કઈ રીતે અનારંભીપણાનું કારણ બની શકે ? તેથી ટીકામાં બીજો હેતુ કહે છે
જ્ઞાનાદિના અપ્રકર્ષવાળા મુનિ ગુરુના વચનના પરમાર્થને જાણવા માટે અપ્રમાદથી યત્ન કરતા હોય, અને જાણીને સ્વગુણને અનુરૂપ અપ્રમાદથી ઉઘમ કરતા હોય, તો તેઓમાં વિશુદ્ધિ હોવાથી અનારંભીપણું છે; કેમ કે લક્ષ્યને અનુરૂપ સુદૃઢ વ્યાપરમાં અપેક્ષિત ક્રિયાઓને વ્યત્યય કરાવનારું કર્મ તે મહાત્માઓને ક્ષયોપશમભાવવાળું છે. તેથી તેઓની ક્રિયા ગુણનિષ્પત્તિને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org