SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦. ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૪-૫ થવાથી આત્મા પ્રત્યે જીવને સ્નેહ થાય છે, તેથી જીવ પોતાના સુખની પ્રાપ્તિ અર્થે સર્વ ઉદ્યમ કરે છે, તેથી આત્મદર્શન એ ભવનો હેતુ છે. એ પ્રકારે યુક્તિથી સ્થાપન કરીને બૌદ્ધો કહે છે કે આત્માના દર્શનનો અભાવ નૈરાભ્યદર્શનમાં થાય છે. મારો આત્મા નથી તેવો નિર્ણય થવાથી પોતાના આત્મા પ્રત્યે સ્નેહ થતો નથી. તેથી જીવ સર્વત્ર તૃષ્ણા વગરનો બને છે. જેમ – બીજ હોય તો અંકુર થાય, અને બીજ ન હોય તો અંકુર થાય નહિ, તેમ બીજસ્થાનીય આત્મદર્શન હોય તો તૃષ્ણારૂપ અંકુર થાય, અને બીજના અભાવરૂપ નૈરાભ્યદર્શન હોતે છતે તૃષ્ણારૂપ અંકુરનો અભાવ થાય છે, અને તૃષ્ણાનો અભાવ થવાથી ભવનો ઉચ્છેદ થાય છે; અને ભવ ક્લેશરૂપ છે, તેથી ક્લેશહાનનો ઉપાય નૈરાગ્યદર્શન છે. ક્લેશરૂપ ભવ ક્લેશહાનનો ઉપાય નૈરાશ્યદર્શન નૈરાભ્યદર્શનથી તૃષ્ણાનો અભાવ તૃષ્ણાના અભાવથી ભવનો ઉચ્છેદ બીજસ્થાનીય અંકુરસ્થાનીય તૃષ્ણા આત્મદર્શન બીજના અભાવસ્થાનીય અંકુરના અભાવસ્થાનીય માવ. IIII નૈરાગ્યદર્શન અવતરણિકા : શ્લોક-૪માં કહ્યું કે બીજના અભાવમાં અંકુરના અભાવની જેમ વૈરાગ્યદર્શનમાં તૃષ્ણા થતી નથી. તે જ વૈરાભ્યવાદી બૌદ્ધ યુક્તિથી સ્પષ્ટ કરે છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004685
Book TitleKleshhanopay Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy