SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપ સદ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૨૧ વળી તે પદ કેવું છે ? તે સ્પષ્ટ કરે છે – પ્રાચ્યપ્રયતથી ઉત્પન્ન થયેલા સંસ્કારને કારણે અસંગઅનુષ્ઠાનની પ્રાપ્તિ પૂર્વે સેવાયેલા વચનાનુષ્ઠાનના પ્રયત્નથી ઉત્પન્ન થયેલા સંસ્કારને કારણે, સ્વરસથી ઇચ્છા નિરપેક્ષથી, પ્રવૃત્તિ દ્વારા આત્મભાવમાં જવાને અનુકૂળ ધ્યાનરૂપ પ્રકૃષ્ટ પ્રવૃત્તિ દ્વારા, મોક્ષનું કારણ છે=પ્રભાષ્ટિમાં પ્રગટ થયેલું સસ્પ્રવૃત્તિપદ મોક્ષનું કારણ છે. જે પ્રમાણે દઢાંડના તોદન પછી=દઢ રીતે દંડના ભમાવ્યા પછી, તેના સંસ્કારના અનુવેધથી જ-દઢ રીતે દંડના ભ્રમણના સંસ્કારના અનુવેધથી જ, ઉત્તરમાં ચક્રની ભ્રમિનું સંતાન છેaઉત્તરમાં દંડ વગર ચક્રભ્રમણનો પ્રવાહ છે, તે પ્રમાણે પ્રથમના અભ્યાસથી થતા ધ્યાન અનંતર-વચનાનુષ્ઠાનમાં લેવાયેલા ધ્યાનના અભ્યાસથી થતા ધ્યાન પછી, તેના સંસ્કારના અતુવેધથી જ=પ્રથમ અભ્યાસના સંસ્કારના અનુવેધથી જ, તત્સદશ પરિણામનો પ્રવાહ-ધ્યાનસદશ પરિણામનો પ્રવાહ, અસંગઅનુષ્ઠાન સંજ્ઞાને પામે છે, એ પ્રકારે ભાવાર્થ છે. ૨૧ ભાવાર્થ - સત્યવૃત્તિપદ-અસંગઅનુષ્ઠાનઃ પ્રભાષ્ટિ સત્યવૃત્તિપદાવહ છે, એમ કહ્યું. તેથી સમ્પ્રવૃત્તિપદ શું છે ? તે સ્પષ્ટ કરે છે – અસંગઅનુષ્ઠાનસંજ્ઞાવાળું સત્યવૃત્તિપદ છે. આશય એ છે કે જીવનું સમ્પ્રવૃત્તિમાં રહેવું એટલે સર્વથા અસંગભાવમાં રહેવું; કેમ કે જીવનું વાસ્તવિક સ્વરૂપ સર્વથા સંગ વગરનું છે. આથી સિદ્ધના જીવો સંપૂર્ણ સંગ વગરના છે, અને તે અવસ્થાને પ્રગટ કરે તેવી સપ્રવૃત્તિ અસંગઅનુષ્ઠાનરૂપ છે. વળી આ અસંગઅનુષ્ઠાન મોક્ષનું કારણ કઈ રીતે છે ? તે સ્પષ્ટ કરે છે – મોક્ષનો અર્થી જીવ ભગવાનના વચનાનુસાર પ્રવૃત્તિ કરે છે ત્યારે ભગવાનના વચનનો રાગ હોય છે, તેથી અસંગઅનુષ્ઠાન નથી પરંતુ વચનાનુષ્ઠાન છે. વળી, અસંગઅનુષ્ઠાનમાં જીવને ક્યાંય સંગભાવ નથી, પરંતુ સર્વથા સંગરહિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004684
Book TitleSaddrushti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy