SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ મિત્રાદ્વાચિંશિકા/બ્લોક-૨૩ ચેઇઆણં' સૂત્રથી કરાયેલ સંકલ્પનો નિર્વાહ સ્વલ્પકર્મમળવાળા જીવો કરી શકે છે; કેમ કે તેમને મોક્ષ પ્રત્યેની પ્રીતિ વર્તે છે. તેથી સ્વભૂમિકા પ્રમાણે આ લોકની અને પરલોકની આશંસા વગર મોક્ષને અનુકૂળ કંઈક ભાવો કરીને યોગબીજને ગ્રહણ કરી શકે છે. વળી જેઓ સ્વલ્પકર્મમળવાળા નથી પરંતુ મહાવ્યાધિવાળાની જેમ ભારે કર્મમળવાળા છે, તેવા જીવો “અરિહંત ચેઈઆણં સૂત્ર દ્વારા ઉચ્ચારણ કરે કે “હું મોક્ષને માટે કાયોત્સર્ગ કરું છું તોપણ તે ઉચ્ચારણથી તેઓને લેશ પણ મોક્ષને અભિમુખ ભાવ થતો નથી. ઊલટું મોક્ષથી વિરુદ્ધ એવી આ લોકની અથવા પરલોકની આશંસાથી અથવા અનાભોગથી દૂષિત તેમનું માનસ હોય છે. તેથી “અરિહંત ચેઈઆણં' સૂત્ર દ્વારા જે ભાવ કરવાનો સ્વીકાર કરે છે તેનો નિર્વાહ કરી શકતા નથી. જેમ ભારે રોગવાળા જીવો કુટુંબનું પરિપાલન કરવા માટે યત્ન કરે તો પણ તેનો નિર્વાહ કરી શકે નહીં, ઊલટું કુટુંબ માટે તેઓ અનર્થનું કારણ બને છે, તેમ ભારેકર્મવાળા જીવોને ધર્મનું અનુષ્ઠાન ઈષ્ટસિદ્ધિ માટે થતું નથી, પરંતુ અનર્થ માટે થાય છે. રર અવતરણિકા - પૂર્વશ્લોક-રરમાં કહ્યું કે સ્વલ્પકર્મમળવાળા પુરુષની યોગબીજના ગ્રહણમાં પ્રવૃત્તિ થઈ શકે છે. તેથી આવી યોગબીજના ગ્રહણની પ્રવૃત્તિ ક્યારે થઈ શકે? તે બતાવવા અર્થે કહે છે – બ્લોક : यथाप्रवृत्तकरणे चरमे चेदृशी स्थितिः। तत्त्वतोऽपूर्वमेवेदमपूर्वासत्तितो विदुः ॥२३॥ અન્વયાર્ચ - ચું અને વરને યથાપ્રવૃત્તર=ચરમયથાપ્રવૃત્તિકરણમાં શી સ્થિતિ =આવા પ્રકારની સ્થિતિ છે=યોગબીજગ્રહણનું કારણ બને એવા પ્રકારની જીવના સ્વભાવની સ્થિતિ છે. તત્ત્વતઃ=તત્ત્વથી=પરમાર્થથી રૂમ્ આ=ચરમયથાપ્રવૃત્તિકરણ મપૂર્વત્તિત =અપૂર્વની આસક્તિ હોવાને કારણે અપૂર્વકરણની નજદીક હોવાને કારણે મપૂર્વમેવ અપૂર્વ જ વિદુ =જાણે છે=યોગના જાણનારાઓ કહે છે. ||૨૩/ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004681
Book TitleMitra Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy