SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ઇ મિત્રાધાચિંશિકા/બ્લોક-૧૫ પરિણામ સ્વરૂપ છે. જોકે આવો અભિગ્રહનો પરિણામ સમ્યગ્દષ્ટિને થઈ શકે, તોપણ કંઈક સંસારના સ્વરૂપને જાણનાર અને મોક્ષને અભિમુખ થયેલા એવા મિત્રાષ્ટિવાળા યોગી પણ, ત્યાગ પ્રત્યેના બહુમાનભાવવાળા હોવાથી, ત્યાગી પ્રત્યેની ભક્તિના ઉત્સાહથી પોતાની ભૂમિકા પ્રમાણે જે કોઈ શુદ્ધ અભિગ્રહ ગ્રહણ કરે, તે ભાવઅભિગ્રહના કારણભૂત એવો દ્રવ્યઅભિગ્રહ છે. મિત્રાદષ્ટિવાળા યોગીનો આવો દ્રવ્યઅભિગ્રહ યોગબીજ છે. વળી આર્ષવચનરૂપ સિદ્ધાંતને આશ્રયીને વિધિપૂર્વક લેખનાદિ ક્રિયા યોગબીજ છે. “ન્યાયપૂર્વકના અર્જન કરાયેલા ધનને સન્શાસ્ત્રો લખાવવામાં સમ્યગુ પ્રયોગ કરે”, ઇત્યાદિ વિધિ વડે આર્ષવચનને લખાવવા આદિની ક્રિયા તે યોગબીજ છે; પરંતુ કામાદિ શાસ્ત્રોનો કે અન્ય કોઈ શાસ્ત્રોને લખાવવાની ક્રિયા તે યોગબીજ નથી. જેઓને સિદ્ધાંત પ્રત્યેનો બહુમાનભાવ છે તેવા યોગી, આ સન્શાસ્ત્રો જગતમાં સુરક્ષિત રહે માટે તેનું લેખન આદિ કરાવીને સન્શાસ્ત્રો પ્રત્યેની પોતાની ભક્તિ ઉલ્લસિત કરતા હોય, તેઓનો ભક્તિનો અધ્યવસાય યોગબીજ છે. આ લોક અને પરલોક આદિની આશંસા વગર સન્શાસ્ત્રો પ્રત્યે બહુમાન આદિ ભાવોથી યુક્ત સન્શાસ્ત્રોને લખાવે તો તે લેખનાદિની ક્રિયા યોગબીજા બને છે; અને આ લેખનાદિ ૧૦ યોગબીજોનું વર્ણન શ્લોક-૧૬માં ગ્રંથકારશ્રી કરે છે. ૧પ અવતરણિકા : लेखनादिकमेवाहઅવતરણિકા - લેખનાદિને જ કહે છે – ભાવાર્થ - પૂર્વ શ્લોક-૧૫માં કહ્યું કે સિદ્ધાંતને આશ્રયીને વિધિપૂર્વક લેખનાદિ યોગબીજ છે. તેથી લેખનાદિ યોગબીજાને કહે છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004681
Book TitleMitra Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy