SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ મિત્રાધાવિંશિકા/બ્લોક-૯ હોય છે ત્યારે તેમનામાં વર્તતું મોક્ષગમનને યોગ્ય એવું તથાભવ્યત્વ પાકને પામતું હોય છે, અને તેના કારણે તેઓમાં રહેલા મિથ્યાત્વના કટુભાવો નિવર્તન પામતા હોય છે, તેથી વીતરાગના ગુણોમાં વર્તતા ઉપયોગમાં મનાકુ માધુર્યની સિદ્ધિ હોય છે; કેમ કે ભગવાનના ગુણો પ્રત્યે જે પ્રીતિ છે તે સંવેગના માધુર્યવાળી છે તેથી તે જિનકુશળચિત્તાદિ મોક્ષના કારણ છે માટે યોગબીજ છે. અહીં વિશેષ એ છે કે પહેલી દષ્ટિઆદિવાળા યોગી પણ આ લોકની અને પરલોકની આશંસા વગર ભગવાનના ગુણોનું સ્મરણ કરીને તેમના પ્રત્યે પ્રીતિના આશયવાળા હોય ત્યારે મિથ્યાત્વને મંદ-મંદતર કરે છે, અને તે આશય તથાભવ્યત્વના પરિપાકને કરનારો છે. તેથી તેઓનું જિનવિષયક સંશુદ્ધ કુશળચિત્તાદિ યોગબીજ બને છે. વળી સમ્યકત્વને પામેલા એવા શ્રીપાળ આદિ પણ આ લોકની આશંસાથી નવપદનું પ્રણિધાન કરે છે ત્યારે તેમનું કુશળચિત્ત સંશુદ્ધ નહીં હોવાના કારણે યોગબીજ નથી; કેમ કે આ લોકના ફળની આશંસાથી દૂષિત હોવાને કારણે તેમનામાં રહેલું તથાભવ્યત્વ લક્ષ્ય તરફ પરિણમન પામતું નથી. વળી જ્યારે શ્રીપાળ આદિ સંસારની કોઈ આશંસા વગર ભગવાનની ભક્તિમાં તન્મય હોય છે ત્યારે તેઓનું જિનવિષયક કુશળચિત્તાદિ સમ્યક્ત્વની ભૂમિકાવાળું હોવાથી અને આ લોકની કે પરલોકની આશંસા વગરનું હોવાના કારણે ઊંચી કોટિનાં યોગબીજોને પ્રાપ્ત કરાવીને વિરતિ આદિની પ્રાપ્તિનું કારણ બને છે. તેથી ઉપર-ઉપરની ભૂમિકાવાળા યોગીઓ જિનકુશળચિત્તાદિ દ્વારા ઉપરઉપરની ભૂમિકાને અનુરૂપ ઉત્તમ સંસ્કારો નાંખીને યોગમાર્ગની વૃદ્ધિ કરે છે. આમ છતાં આવા પણ યોગીઓને આ લોકમાં કે પરલોકમાં ક્યાંય પ્રતિબંધ વર્તે ત્યારે તેમનું તે કુશળચિત્ત સંશુદ્ધ નહીં હોવાથી ફળપાકના આરંભ સંદેશ નથી, અર્થાત્ વીતરાગતાને પ્રગટ કરવાને અનુકૂળ યત્નસ્વરૂપ નથી, તેથી યોગબીજ નથી. છેલ્લા અવતરણિકા - પૂર્વ શ્લોક-૯માં કહ્યું કે જિનવિષયક કુશળચિત્તાદિ પ્રતિબંધથી રહિત હોય તો શુદ્ધ થઈ શકે છે અને શુદ્ધ હોય તો યોગબીજ બને અન્યથા નહીં. ત્યાં પ્રશ્ન થાય કે પ્રતિબંધવાળું જિનવિષયક કુશળચિત્તાદિ યોગબીજ કેમ નથી? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004681
Book TitleMitra Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy