SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ મિત્રાકાચિંશિકા/શ્લોક-૯ ૨૯ માત્ર સંશુદ્ધ કુશળચિત્ત હોય પરંતુ વાનમસ્કાર કે કાયનમસ્કાર ન હોય તોપણ તે યોગબીજ બને છે, અને વાનમસ્કાર અને કાયનમસ્કારથી યુક્ત સંશુદ્ધ કુશળચિત્ત હોય તોપણ યોગબીજ બને છે. તે રીતે જિનવિષયક માત્ર સંશુદ્ધ વાયોગ હોય તોપણ યોગબીજ બને છે, અને જિનવિષયક માત્ર સંશુદ્ધ કાયયોગ હોય તોપણ યોગબીજ બને છે. કોઈ જીવ જિનના સ્વરૂપનું મનથી ચિંતવન કરતો હોય, વચનથી નમસ્કારને અનુરૂપ વચનો બોલતો હોય અને કાયાથી પ્રણામાદિ કરતો હોય ત્યારે ત્રણે યોગોની કુશળ પ્રવૃત્તિ છે અને તે સંશદ્ધ હોય તો યોગબીજ છે; અને કોઈ જીવ માત્ર જિનના સ્વરૂપનું ચિંતવન કરતો હોય અને તે સમયે દ્વેષાદિના અભાવપૂર્વક પ્રીતિઆદિવાળું ચિત્ત, વાગ્યું અને કાયાની કુશળ પ્રવૃત્તિથી રહિત હોય આમ છતાં સંશુદ્ધ હોય તો યોગબીજ છે; અને કોઈ જીવ ભગવાનના સ્વરૂપને જાણતો હોય, અને તેના કારણે ભગવાન પ્રત્યે કુશળચિત્ત વર્તતું હોય, આમ છતાં વચનથી નમસ્કારને બોલવાની ક્રિયા કરતો હોય ત્યારે ભગવાનના કુશળ સ્વરૂપનું ચિંતવન ન હોય તોપણ, પૂર્વમાં કરાયેલા તેવા પ્રકારના કુશળ મનોયોગથી પ્રેરિત તે વચનપ્રયોગ હોય તો તે માત્ર કુશળ વાધ્યોગ છે, અને આ કુશળ વાવ્યોગ સંશુદ્ધ હોય તો યોગબીજ છે. તે રીતે કાયયોગમાં પણ જાણવું. આ સંશુદ્ધ કુશળચિત્તાદિ મોક્ષયોજક અનુષ્ઠાનનું કારણ હોવાથી યોગબીજા છે, અને મોક્ષયોજક અનુષ્ઠાનના કારણભૂત અનેક યોગબીજો માંથી જિનવિષયક કુશળચિત્તાદિ અનુત્તમ યોગબીજ છે અર્થાત્ સર્વ યોગબીજોમાં પ્રધાન છે; કેમ કે આ કુશળચિત્તનો વિષય તીર્થકરો છે, તેથી આચાર્યાદિ વિષયક કુશળચિત્તાદિ કરતાં તીર્થકર વિષયક કુશળચિત્ત પ્રધાન છે. પટો અવતરણિકા - પૂર્વ શ્લોક-૮માં કહ્યું કે જિનમાં કુશળચિત્તાદિ સંશુદ્ધ હોય તો યોગબીજ છે, અને સંશુદ્ધ ન હોય તો યોગબીજ નથી. તેથી જિજ્ઞાસા થાય કે જિનવિષયક થતા કુશળચિત્તાદિ કયા કારણે સંશુદ્ધ થાય છે? તેથી કહે છે – શ્લોક : चरमे पुद्गलावर्ते तथाभव्यत्वपाकतः । प्रतिबन्धोज्झितं शुद्धमुपादेयधिया ह्यदः ॥९॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004681
Book TitleMitra Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy