________________
૨
મિત્રાદ્વાત્રિશિકા/શ્લોક-૮ જીવોનો અસગ્રહ નિવૃત્ત થયો હોવાને કારણે અને તત્ત્વપ્રાપ્તિને અભિમુખ ભાવ વર્તી રહ્યો હોવાને કારણે, આ મિત્રાદષ્ટિવાળા યોગીને જિનપ્રવચનમાં બતાવાયેલાં યોગબીજોની પ્રાપ્તિ થાય છે; કેમ કે મિત્રાદષ્ટિવાળા યોગીનો તેવો સ્વભાવ છે કે યોગમાર્ગનું વર્ણન સાંભળવા મળે તો ઉત્સાહથી સાંભળે અને સદ્દગુરુ તે યોગીના ક્ષયોપશમને અનુરૂપ વીતરાગનું સ્વરૂપ બતાવે ત્યારે તેને જિનમાં કુશળચિત્તાદિરૂપ યોગબીજનું ગ્રહણ થાય છે. અવતરણિકા -
उक्तयोगबीजमेवाहઅવતરણિકાર્ય :
ઉક્ત યોગબીજને=શ્લોક-૭માં કહેલ જિનપ્રવચનથી સંભળાયેલા યોગબીજને કહે છે –
ભાવાર્થ :
શ્લોક-૭માં કહ્યું કે સદ્દગુરુનો યોગ થાય તો મિત્રાદષ્ટિવાળા યોગી જિનપ્રવચનથી યોગબીજને ગ્રહણ કરે છે. તે યોગબીજો શું છે ? તે બતાવે છે – શ્લોક :
जिनेषु कुशलं चित्तं तन्नमस्कार एव च ।
प्रणामादि च संशुद्धं योगबीजमनुत्तमम् ॥८॥ અન્વયાર્થ -
નિષ=જિનમાં સંશુદ્ધ શાસ્ત્ર વિત્ત સંશુદ્ધ એવું કુશળચિત્ત તન્નમાર વિ ર=અને તેમને નમસ્કાર =જિનને નમસ્કાર જ પ્રામાઃિ ર અને પ્રણામાદિ મજુત્તમં યો વીનં અનુત્તમ યોગબીજ છે. પેટા શ્લોકાર્ચ -
જિનમાં સંશુદ્ધ કુશળચિત્ત અને તેમને નમસ્કાર જ અને પ્રણામાદિ અનુત્તમ યોગબીજ છે. [૮]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org