________________
૨૪
અવતરણિકા :-.
પૂર્વ શ્લોક-૧માં કહ્યું કે મિત્રાદૃષ્ટિવાળાને ઇચ્છાદિ ચાર ભેદવાળા યમમાંથી કોઈ એક યમરૂપ યોગાંગની પ્રાપ્તિ થાય છે. તેથી યમ શું છે ? તેવી જિજ્ઞાસા થાય. તેથી શ્ર્લોક-૨માં પાંચ પ્રકારના યમનું સ્વરૂપ બતાવ્યું. ત્યાં વિચારકને જિજ્ઞાસા થાય કે યમ યોગનું અંગ કઈ રીતે છે ? તેથી યોગનાં આઠ અંગોમાં અન્ય યોગાંગ કરતાં યમ યોગાંગ કઈ રીતે યોગ પ્રત્યે કારણ છે ? તે બતાવેલ, અને યમયોગાંગનું જ્ઞાન કર્યા પછી યમના બાધક વિતર્કો કેટલા પ્રકારના છે ? તેનું વિસ્તારથી વર્ણન શ્લોક-૪માં બતાવ્યું. વળી આ વિતર્કો અનંત દુઃખ અને અનંત અજ્ઞાન ફળવાળા છે તેમ ભાવન કરવાથી વિતર્કોની નિવૃત્તિપૂર્વક યમમાં પ્રવૃત્તિ થાય છે તે અને તે યમની પ્રવૃત્તિ પ્રકર્ષવાળી થાય તો કેવું ફળ મળે ? તે શ્લોક-૫-૬માં બતાવ્યું, જેથી યોગમાર્ગના અર્થી યોગી ઉત્સાહપૂર્વક વિતર્કોના નિવર્તનમાં અને યત્નપૂર્વક યમના સમ્યગ્ સેવનમાં ઉત્સાહી થાય. હવે કોઈ યોગી પાતંજલ દર્શન અનુસાર યમને જાણીને યમમાં યત્ન કરતા હોય અને તત્ત્વના અર્થી હોય એવા તે યોગીને સદ્ગુરુનો યોગ થાય તો તે મિત્રાદેષ્ટિવાળા યોગીની કેવી પ્રવૃત્તિ થાય છે ? તે બતાવે છે -
શ્લોક ઃ
મિત્રાદ્વાત્રિંશિકા/બ્લોક
इत्थं यमप्रधानत्वमवगम्य स्वतन्त्रतः । योगबीजमुपादत्ते श्रुतमत्र श्रुतादपि ॥७॥
અન્વયાર્થ ઃ
i=આ પ્રકારે=પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રકારે સ્વતન્ત્રતઃ=પોતાને અભિમત એવા પાતંજલાદિ શાસ્ત્રથી યમપ્રધાનત્વમવામ્યયમનું પ્રધાનપણું જાણીને અત્ર=મિત્રાદેષ્ટિમાં રહેલા યોગી શ્રુતાત્ શ્રુત્તમપિ=જિનપ્રવચનથી સંભળાયેલા પણ યોાવીન=યોગબીજને પાત્ત્ત=ગ્રહણ કરે છે. I'
શ્લોકાર્થ :
આ પ્રકારે પોતાને અભિમત શાસ્ત્રથી યમનું પ્રધાનપણું જાણીને મિત્રાદષ્ટિમાં રહેલા યોગી જિનપ્રવચનથી સંભળાયેલા પણ યોગબીજને ગ્રહણ કરે છે. ગા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org