________________
મિત્રાદ્વાત્રિંશિકા/બ્લોક-૪
વિભાગપૂર્વક=‘આ મારું છે અને આ પારકું છે’ એવા પ્રકારના વિભાગપૂર્વક થનારા એવા લોભ અને ક્રોધનું તદ્નલપણું છે=મોહમૂલપણું છે, એ પ્રમાણે કહે છે–એ પ્રમાણે યોગના જાણનારાઓ કહે છે. તતઃ=ત્યારપછી, કારણના વૈવિધ્યથી=ક્રોધ, લોભ અને મોહરૂપ કારણના જૈવિધ્યથી કૃત, અનુમિત અને કારિત એવા આ હિંસાદિવિષયક વિતર્કો નવ પ્રકારના ભેદને પામે છે. તે પણ=નવ પ્રકારના ભેદને પામેલા વિતર્કો પણ, મૃદુ=મંદ, મધ્ય=અતીવ્રઅમંદ, અધિમાત્રા=તીવ્ર, એ પ્રમાણે દરેક=નવ ભેદોમાંથી દરેક ભેદ, ત્રણ પ્રકારના ભેદને પામે છે.
૧૨
તવુ=તે કહેવાયું છે=નવ પ્રકારના વિતર્કો મૃદુ આદિ ભાવવાળા છે તે ‘પાતંજલયોગસૂત્ર’ ૨-૩૪ અંતર્ગત કહેવાયું છે –
“મૃદુ, મધ્ય અને તીવ્ર વિતર્કો છે.' (પા.યો.સૂ. ૨-૩૪)
‘કૃત્તિ’ શબ્દ પતંજલિઋષિના કથનની સમાપ્તિમાં છે. કૃર્ત્ય = અને આ રીતેપૂર્વે વર્ણન કર્યું એ રીતે ૨૭ વિતર્કો થાય છે. અહીં=પૂર્વે વર્ણન કરાયેલા ૨૭ વિતર્કોમાં, મૃદુ આદિના પણ દરેક વિકલ્પને આશ્રયીને મૃદુ, મધ્ય અને અધિમાત્રા–તીવ્ર, ભેદો ભાવન કરવા, એ પ્રમાણે કહે છેવિતર્કોને જાણનારા કહે છે. અર્થાત્ ૨૭ ભેદો પણ ત્રણ રીતે થવાથી ૮૧ ભેદોની પ્રાપ્તિ છે. ૪
ભાવાર્થ :
હિંસાદિ પાંચેયને આશ્રયીને દરેકના ૨૭ પ્રકારના વિતર્કો-વિકલ્પો, થાય છે, અને તે વિકલ્પોનો યથાર્થ બોધ કરીને તે વિકલ્પો ન ઊઠે તે પ્રકારના મનોયોગનું પ્રવર્તન, અને તે મનોયોગને પુષ્ટ કરે તેવી વાચિક અને કાયિક જે પ્રવૃત્તિ યોગી કરે છે, તે યમ નામના પ્રથમ યોગાંગનું સેવન છે. આ યમ નામનું યોગાંગ કોઈક યોગી ઇચ્છાયોગરૂપે સેવતા હોય તો કોઈ યોગી પ્રવૃત્તિયોગરૂપે સેવતા હોય કે કોઈ યોગી સ્વૈર્યયોગરૂપે સેવતા હોય કે કોઈ યોગી સિદ્ધિયોગરૂપે સેવતા હોય, તે સર્વ યમોનું સેવન વિતર્કોના પ્રતિપક્ષના ભાવનરૂપ છે અને તેનાથી યોગમાર્ગ સુકર બને છે. તે ૨૭ વિતર્કો આ પ્રમાણે થાય છે.
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org