________________
મિત્રાદ્ધાત્રિશિકા/બ્લોક-૧ ભાવાર્થ - (૧) મિત્રાદેષ્ટિનો બોધ :
યોગમાર્ગના વિષયમાં જીવને અનાદિ કાળથી લેશ પણ બોધ ન હતો, તેથી જ સંસારનું પરિભ્રમણ અત્યાર સુધી થયું. ચરમાવર્તમાં આવેલો જીવ કોઈક નિમિત્તને પામીને યોગમાર્ગનો બોધ કરે છે અને તે બોધ મિત્રાદષ્ટિમાં સ્વલ્પ હોય છે. જેમ ગાઢ અંધકારમાં તૃણના અગ્નિના કણનો ઉદ્યોત કંઈક દિશા બતાવે છે, તેમ મિત્રાદષ્ટિનો બોધ યોગમાર્ગમાં કંઈક દિશા બતાવે છે. (૨) મિત્રાદેષ્ટિમાં પ્રગટ થતું યમ યોગાંગ -
મિત્રાદષ્ટિનો બોધ યોગમાર્ગની કંઈક દિશા બતાવતો હોવાના કારણે ઈચ્છાદિ ચાર ભેદમાંથી કોઈ એક ભેદવાળું યમ નામનું યોગાંગ પ્રગટે છે અર્થાત્ યોગનાં આઠ અંગ છે તેમાંથી યમ નામનું યોગાંગ પ્રગટે છે. મિત્રાદષ્ટિવાળા જીવો યમ યોગાંગને કલ્યાણના કારણરૂપે જુએ છે તેથી શક્તિ અનુસાર તેઓ યમમાં પ્રવૃત્તિ કરે છે. (૩) દેવકાર્યાદિમાં અખેદ -
વળી સ્વલ્પ પણ યોગમાર્ગનો બોધ હોવાના કારણે મિત્રાદષ્ટિમાં રહેલા યોગીને દેવકાર્ય કે ગુરુનું કાર્ય પ્રાપ્ત થાય ત્યારે ખેદ થતો નથી, પરંતુ “મને આ ઉત્તમ કાર્ય કરવાનો અવસર મળ્યો' તે પ્રકારનો પરિતોષ થાય છે; તેથી શક્તિ અનુસાર તેમાં પ્રવૃત્તિ થાય છે. જેમ સંસારી જીવોને શારીરિક કોઈ અસ્વસ્થતા હોય તોપણ ભોગકાર્યની પ્રાપ્તિમાં આનંદ થતો હોવાથી તે વેદનાને ભૂલીને ભોગમાં પ્રવૃત્તિ કરે છે, તેમ મિત્રાદષ્ટિવાળા યોગીઓને પણ યોગકાર્યમાં આનંદ થતો હોવાથી યોગમાર્ગમાં શક્તિ અનુસાર પ્રવૃત્તિ કરે છે. (૪) અદેવકાર્યાદિમાં અષ:
વળી યોગમાર્ગમાં કોઈકની અનુચિત પ્રવૃત્તિ જુએ કે કોઈક અદેવને દેવબુદ્ધિથી પૂજતા જુએ તોપણ યોગમાર્ગને અનુકૂળ કંઈક બોધ હોવાને કારણે મિત્રાદષ્ટિવાળા યોગીને તેવા જીવો પ્રત્યે દ્વેષ થતો નથી, પરંતુ તેવા જીવોને જોઈને તેઓનું હિત કરવાની કરુણાની બુદ્ધિ થાય છે. જેના અવતરણિકા :
यमस्वरूपं सभेदमभिधत्ते
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org