________________
મિત્રાદ્વાચિંશિકા/બ્લોક-૧ ટીકાર્ય :
મિત્રાય ર મિતિ આશા મિત્રાદેષ્ટિમાં દર્શન મંદ છે–તૃણના અગ્નિકણના ઉદ્યોત સદેશ સ્વલ્પ બોધ છે, અને ઇચ્છાદિ ભેદવાળું યમ યોગાંગ છે, દેવકાર્યાદિમાં અવ્યાકુળતા સ્વરૂપ અખેદ છે, દેવકાર્યાદિમાં રહેલા “માદ્રિ' શબ્દથી ગુરુકાર્યાદિનું ગ્રહણ કરવું.
દેવકાર્યાદિમાં અખેદ છે તેનું સ્પષ્ટીકરણ કરે છે –
મસ્તકની વેદનાઆદિ દોષના ભાવમાં પણ ભવાભિનંદી જીવના ભોગકાર્યની જેમ, તે તે પ્રકારે આ પ્રાપ્ત થયે છતે=જે જે પ્રકારે પોતાની દેવકાર્યાદિ કરવાની શારીરિક આદિ શક્તિ હોય તે તે પ્રકારે દેવકાર્યાદિ પ્રાપ્ત થયે છતે, તે પ્રકારનો પરિતોષ થવાથી-દેવકાર્યાદિ કરવાનો લાભ મને પ્રાપ્ત થયો તે પ્રકારનો પરિતોષ થવાથી, ખેદ નથી=દેવકાર્યાદિમાં ખેદ નથી, પરંતુ પ્રવૃત્તિ જ છે. અને વળી માત્ર=અદેવકાર્યાદિમાં, અષ છેઃઅમર છે; કેમ કે તે પ્રકારે તત્ત્વનું આવેદીપણું હોવાને કારણે કુદેવ કે કુગુરુમાં કોઈ જીવ સુદેવ કે સુગુરુની બુદ્ધિ કરતો હોય તેને જોઈને તેના પ્રત્યે દ્વેષ કરવો ઉચિત નથી, તે પ્રકારે તત્ત્વનો જાણકાર હોવાને કારણે, માત્સર્યવીર્યના બીજનો સદ્ભાવ હોવા છતાં પણ તદ્ધાવીઠ્ઠીનુયા=માત્સર્યભાવના અંકુરાનો અનુદય છે.
અહીં પ્રશ્ન થાય કે અદેવકાર્યાદિ શબ્દથી દેવ અને ગુરુના કાર્યથી ભિન્ન એવાં સંસારનાં કાર્ય ગ્રહણ કરવાં છે? કે કોઈ ધર્મનાં કાર્ય ગ્રહણ કરવાં છે? તેનું સમાધાન કરવા અર્થે, અદેવકાર્યાદિથી કુદેવકાર્યાદિ ગ્રહણ કરવાં છે પરંતુ સંસારનાં કાર્યો ગ્રહણ કરવાં નથી, તે બતાવવા અર્થે કહે છે –
તથાવિધ અનુષ્ઠાનને આશ્રયીને તેવા પ્રકારના અનુષ્ઠાનને આશ્રયીને= ધર્મબુદ્ધિથી કરાતા અનુષ્ઠાનને આશ્રયીને, અહીં રહેલાને મિત્રાદેષ્ટિમાં રહેલા યોગીને, કરુણાના અંશરૂપ બીજનું જ ઈષત્ સ્કુરણ થાય છે.
તિ’ શબ્દ ટીકાની સમાપ્તિમાં છે. જેના
fશરો ગુરુત્વાહિતોપમાવેfપ અહીં “'થી એ કહેવું છે કે મસ્તકની વેદના આદિ દોષ ન હોય તો તો ભવાભિનંદીને ભોગકાર્યોમાં પ્રવૃત્તિ છે જ, પરંતુ માથું ભારે થવું આદિ દોષ હોય તોપણ પ્રવૃત્તિ છે; અને “મારિ પદથી શરીરની અન્ય કોઈ પીડાનું ગ્રહણ કરવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org