________________
મિત્રાાત્રિશિકા/સંકલના ત્રિશસ્વિંશિ' ગ્રંથની ૨૧મી મિત્રતાáશિશ'ના પદાર્થોની
સિંકલના)
જીવને યોગમાર્ગનો પ્રારંભ મિત્રાદષ્ટિની પ્રાપ્તિથી થાય છે. તેની પ્રાપ્તિ પૂર્વે જીવમાં આત્મકલ્યાણના કારણભૂત એવા તત્ત્વના વિષયમાં ગાઢ અંધકાર પ્રવર્તે છે, જેથી જીવ મનુષ્યભવ પામે કે દેવભવ પામે, સામાન્ય બુદ્ધિવાળો હોય કે મહાબુદ્ધિવાળો હોય તો પણ સસારના વાસ્તવિક સ્વરૂપને જોઈને સર્વ ઉપદ્રવથી રહિત, પૂર્ણ સુખમય એવી મોક્ષ અવસ્થાનો લેશ પણ વિચાર કરી શકે તેવી નિર્મળબુદ્ધિ તેને પ્રગટ થતી નથી. પરંતુ જે જીવોમાં કર્મમલની કંઈક અલ્પતા થઈ છે તેવા જીવો યોગમાર્ગની સન્મુખ ભૂમિકાને પામે છે અને તે ભૂમિકાનો પ્રારંભ મિત્રાદષ્ટિથી થાય છે.
મિત્રાદષ્ટિમાં બોધ અલ્પ હોય છે, યોગનાં આઠ અંગોમાંથી યમ નામનું પહેલું યોગગ પ્રગટ થાય છે અને ધર્મપ્રવૃત્તિમાં અખેદ નામનો ગુણ પ્રગટે છે અને અન્યદર્શનવાળાની અદેવમાં દેવબુદ્ધિથી થતી ભક્તિમાં દ્વેષ થતો નથી. યોગબીજ ગ્રહણ :
વળી આ મિત્રાદષ્ટિવાળા જીવો સદ્ગુરુ આદિને પામીને જિનોમાં કુશલચિત્તાદિ કરે છે તે યોગબીજના ગ્રહણરૂપ છે અને ગુણવાનને ગુણવાનરૂપે જોઈને તેમના પ્રત્યે બહુમાન થયેલું હોય છે. આલોક અને પરલોકની આશંસા વગર માત્ર ગુણવાનના ગુણથી પ્રેરાઈને નમસ્કાર આદિની ક્રિયા કરે ત્યારે ગુણ પ્રત્યેના પક્ષપાતને કારણે ભાવિમાં ગુણની વૃદ્ધિનું કારણ બને તેવા યોગબીજની પ્રાપ્તિ જિનવિષયક કુશલચિત્તાદિથી થાય છે. જો કે મિત્રાદષ્ટિવાળા જીવોને બોધ અલ્પ હોય છે તો પણ તે બોધ ગુણવાનને ગુણવાનરૂપે કંઈક જોઈ શકે તેવા સામર્થ્યવાળો હોય છે, તેથી જે કંઈ અંશથી પણ ગુણવાનને ગુણવાનરૂપે જોઈને ગુણવાન પ્રત્યે આદર થાય છે તે આદર ગુણવૃદ્ધિમાં યત્ન કરાવે તેવા સંસ્કારોનું આધાન કરે છે, માટે તે યોગબીજ છે.
મિત્રાદષ્ટિવાળા સર્વ જીવો મંદબુદ્ધિવાળા હોય તેવો નિયમ નથી. ક્વચિત્ મંદબુદ્ધિવાળા પણ હોય અને ક્વચિત્ મહાબુદ્ધિવાળા પણ હોય, ફક્ત યોગમાર્ગને અનુકૂળ જે કંઈ બુદ્ધિ છે તે પ્રારંભિક છે તે અપેક્ષાએ મિત્રાદષ્ટિમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org