SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાત્રિંશિકા/શ્લોક-૧૬-૧૭ આથી ગ્રંથકારશ્રીએ સ્વયં અધ્યાત્મમતપરીક્ષામાં કેવલીને મોહ નહિ હોવા છતાં જ્ઞાનપૂર્વકની ઇચ્છા સ્વીકારવામાં કોઈ દોષ નથી, તેમ સ્થાપન કરેલ છે. આનાથી એ ફલિત થાય છે કે રાગાત્મક ઇચ્છા એ ઇષ્ટસાધનતાની બુદ્ધિથી થનારી છે, જે કેવલીમાં નથી; અને પોતાની ભૂમિકા અનુસાર આ ઉચિત પ્રવૃત્તિ છે, એવા જ્ઞાનથી તે પ્રવૃત્તિને અનુકૂળ કેવલજ્ઞાનના પરિણામરૂપ ઇચ્છા કેવલીને સ્વીકારવામાં કોઈ દોષ નથી. I॥૧૬॥ અવતરણિકા : શ્લોક-૩માં દિગંબરે કહેલ કે કેવલીને સાતાવેદનીયની અનુદીરણા હોવાને કારણે કેવલી કવલભોજન કરતા નથી અર્થાત્ કેવલીને ભુક્તિ સ્વીકારવામાં આવે તો કેવલીને સાતાવેદનીયની ઉદીરણાનો પ્રસંગ આવે, અને કેવલીને સાતાવેદનીયની ઉદીરણા નથી, માટે કેવલી કવલભોજન કરતા નથી. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે શ્લોક ઃ भुक्त्या या सातवेद्यस्योदीरणापाद्यते त्वया । सापि देशनयाऽसातवेद्यस्यैतां तवाक्षिपेत् ।।१७।। અન્વયાર્થ : સાવિ=તે પણ મુન્ત્યા=કવલાહારથી ચા=જે સાતવેદ્યસ્યોવીરા=સાતાવેદનીયની ઉદીરણા ત્વયા=તારા વડે=દિગંબર વડે આપાતે=આપાદન કરાય છે, અર્થાત્ દિગંબર વડે ભુક્તિ દ્વારા આપાદન કરાયેલી સાતાવેદનીયની ઉદીરણા પણ, વેશનવા=દેશના વડે અસાતાવેદ્યસ્વ=અસાતાવેદનીયની તાં= આને=ઉદીરણાને, તવ=તારા મતે=દિગંબરના મતે ઞક્ષિપે=આક્ષેપ કરે. ।।૧૭। - શ્લોકાર્થ : વલાહારથી જે સાતાવેદનીયની ઉદીરણા દિગંબર વડે આપાદન કરાય છે, તે પણ=દિગંબર વડે ભુક્તિ દ્વારા આપાદન કરાયેલી ઉદીરણા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004680
Book TitleKevalibhukti Vyavasthapana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy