SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ પ૮ કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાચિંશિકા/શ્લોક-૧૬ થ સુદમાવેન પૃચ્છામ: થી મધમત્ર સુધીના કથનનો ભાવાર્થ : પૂર્વમાં ગ્રંથકારશ્રીએ યુક્તિથી સ્થાપન કર્યું કે ભગવાનની દેશના શબ્દરૂપ સ્વીકારીએ કે ધ્વનિરૂપ સ્વીકારીએ તોપણ પુરુષના પ્રયત્ન વગર સંભવે નહિ. તેથી જેમ ભગવાન દેશનામાં પ્રયત્ન કરે છે, તેમ ભક્તિમાં પ્રયત્ન કરે છે, તેમ સ્વીકારવામાં કોઈ દોષ નથી. ત્યાં દિગંબર ગ્રંથકારશ્રીને સુહૃભાવથી પૃચ્છા કરે છે – જે પ્રવૃત્તિ બુદ્ધિપૂર્વક થાય છે, તે પ્રવૃત્તિમાં ઇચ્છા હેતુ છે, અને ઇચ્છા એ રાગનો પરિણામ છે, અને કેવલી વીતરાગ છે, તેથી કેવલીને દેશનાદિમાં કે આહારાદિમાં પ્રવૃત્તિ કઈ રીતે સંભવી શકે ? અર્થાત્ સંભવી શકે નહિ, એ પ્રકારે દિગંબર પૃચ્છા કરે છે. તેનો ગ્રંથકારશ્રી સુદર્ભાવથી ઉત્તર આપે છે – જે સ્થાનમાં બુદ્ધિપૂર્વકની પ્રવૃત્તિ થાય છે અને ત્યાં ઇચ્છા હેતુ છે, તે સ્થાનમાં બુદ્ધિ ઇષ્ટસાધનતાધીરૂ૫ છે, અન્યરૂપ નહિ; કેમ કે અનિષ્ટસાધનતાની બુદ્ધિ કે ઉપેક્ષણીયતાની બુદ્ધિ થાય તે સ્થાનમાં ઇચ્છા હેતુ નથી, તેથી સર્વ બુદ્ધિપૂર્વકની પ્રવૃત્તિમાં ઇચ્છાને હેતુ માનીએ તો અનિષ્ટસાધનતાની બુદ્ધિથી અને ઉપેક્ષણીયતાની બુદ્ધિથી થતી પ્રવૃત્તિમાં પણ ઇચ્છાને હેતુ માનવાનો અતિપ્રસંગ આવે. વળી ઇષ્ટસાધનાબુદ્ધિપૂર્વક જે પ્રવૃત્તિ થાય છે, તે પ્રવૃત્તિમાં ઇચ્છાપૂર્વકત્વ છે અને તે પ્રવૃત્તિ ઇષ્ટસાધનતાધીથી જન્ય છે, તેથી ઇષ્ટસાધનતાધીથી જન્ય પ્રવૃત્તિમાં ઇષ્ટસાધનતાધીજન્યતા છે, અને તે ઇષ્ટસાધનતાધીજન્યતાનો અવચ્છેદક ઇચ્છાપૂર્વકત્વ છે. આનાથી એ ફલિત થાય કે ઇષ્ટસાધનતાબુદ્ધિપૂર્વકની પ્રવૃત્તિ પ્રત્યે ઇચ્છા હેતુ છે, અને આવું જ દિગંબરો સ્વીકારે તો દિગંબરો કહી શકે કે કેવલીને મોહ નહિ હોવાથી દેશનાદિની પ્રવૃત્તિમાં કે આહારાદિની પ્રવૃત્તિમાં ઇષ્ટસાધનતાની બુદ્ધિ નથી, તેથી કેવલીની દેશનાદિમાં કે આહારાદિમાં પ્રવૃત્તિ થઈ શકે નહીં, તોપણ જેમ સંસારી જીવોની અબુદ્ધિપૂર્વક જીવનયોનિભૂત પ્રવૃત્તિ થાય છે, તેમ અબુદ્ધિપૂર્વક કેવલીના ભવોપગ્રાહિકર્મના વશથી દેશનાદિમાં કે આહારાદિમાં પ્રવૃત્તિ થાય છે, માટે કેવલીને દેશનાદિની કે આહારાદિની પ્રવૃત્તિ સ્વીકારવામાં કોઈ દોષ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004680
Book TitleKevalibhukti Vyavasthapana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy