SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ પક કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાચિંશિકા/શ્લોક-૧૬ થયા પછી તીર્થકરો અવ્યાપારવાળા છે, છતાં તેમની દેશના ધ્વનિમયી સંભવે છે; કેમ કે અક્ષરમયી દેશના યત્નજન્ય છે, અને યત્ન ઇચ્છાન્ય છે. આ પ્રકારનો નિયમ છે, અને કેવલીને મોહ નથી તેથી ઇચ્છા નથી, અને ઇચ્છા નથી તેથી દેશનામાં યત્ન નથી; અને દેશનામાં યત્ન નહિ હોવા છતાં પરોપકાર આપાદક તીર્થકર નામકર્મરૂપ પુણ્યને કારણે મસ્તકમાંથી ધ્વનિરૂપે દેશના સંભવે છે, માટે તીર્થકરોને નિસર્ગથી દેશના સ્વીકારવામાં કોઈ વિરોધ નથી, તેથી શ્લોકમાં જે ગ્રંથકારશ્રીએ કહ્યું કે નિસર્ગથી જો કેવલીને દેશના હોય તો નિસર્ગથી કેવલીને ભક્તિ આદિ સ્વીકારવાં જોઈએ, તે વાત સંગત નથી; કેમ કે ભુક્તિ આદિ યત્નજન્ય હોવા છતાં ધ્વનિમયી દેશના યત્ન વગર થઈ શકે છે, માટે દેશના અને ભક્તિમાં સામ્ય નથી. આ પ્રકારની દિગંબર શંકા કરે છે અને તેમાં સાક્ષીરૂપે સમતભદ્રાચાર્યનું ઉદ્ધરણ આપ્યું. તેનો ભાવ આ પ્રમાણે છે – ભગવાન શાસ્તા છે અને રાગ વગરના છે, અને અનાત્મા માટે પરોપકાર માટે, સત્પુરુષોને હિતનો ઉપદેશ રાગ વગર=ઇચ્છા વગર, આપે છે, જેમ ઢોલીના હાથના સ્પર્શથી ઢોલ વાગતો હોય ત્યારે પણ ઢોલના ધ્વનિમાં ઢોલનો કોઈ પ્રયત્ન નથી, સહજ રીતે ઢોલમાંથી ધ્વનિ નીકળે છે, તેમ તથા પ્રકારના પુણ્યના ઉદયથી સહજ રીતે તીર્થકરોના મસ્તકમાંથી ધ્વનિ નીકળે છે; આ પ્રકારના દિગંબરના કથનમાં ગ્રંથકારશ્રી કહે છે – એ પ્રમાણે ન કહેવું અર્થાત્ તીર્થકરો પ્રયત્ન વગર ધ્વનિમયી દેશના આપે છે, માટે દેશના અને ભક્તિમાં સામ્ય નથી, એ પ્રમાણે ન કહેવું, અને તેમાં યુક્તિ બતાવે છે – શ્વેતાંબર સંપ્રદાયના મત પ્રમાણે ભગવાનની દેશના સ્વ-સ્વભાષામાં પરિણમન પામે છે. ત્યાં ભગવાનના પ્રયત્નથી બોલાયેલા અર્ધમાગધી ભાષાના શબ્દો સ્વ-સ્વભાષા પરિણમનરૂપ શબ્દાંતરમાં પરિણમન પામે છે, ત્યાં તે તે શબ્દોનું સાજાય છે. તેથી તે પ્રકારના અતિશયની કલ્પના કરવી તે યુક્તિયુક્ત છે; તોપણ ભગવાનની દેશના તે તે શબ્દરૂપ નથી, પરંતુ ધ્વનિરૂપ છે, તેમ કલ્પના કરીને ભગવાનના તેવા પ્રકારના અતિશયથી ભગવાનના મસ્તકમાંથી નીકળતો ધ્વનિ સ્વ-સ્વભાષામાં પરિણમન પામે છે, તે પ્રકારની કલ્પના કરવી અન્યાપ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004680
Book TitleKevalibhukti Vyavasthapana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy